રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફ્રન્સ, અમેઠીની હાર અંગે કંઈક આવું કહ્યું
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. દેશે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત આપ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. દેશે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત આપ્યો છે. એનડીએ ફરીથી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ બેમિસાલ જીતથી ભાજપમાં ખુશીનો માહોલ છે. અત્યાર સુધી આવેલા રૂઝાનમાં એનડીએ 350નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. વળી, ભાજપ પોતાના દમ પર બહુમતના આંકડાની નજીક છે. બીજી બાજુ ભાજપની એતિહાસિક જીત વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફ્રન્સ કરી અને પીએમ મોદીને જીત માટે અભિનંદન આપ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને પીએમ મોદીને જીત માટે અભિનંદન. મેં કહ્યું હતું કે જનતા નિર્ણય કરશે અને હવે જનતાએ નિર્ણય કરી દીધો છે. અમે જનતાના નિર્ણયનું સ્વાગત કરીયે છે. બીજી બાજુ તેમને અમેઠી પરિણામો અંગે પણ મીડિયાના સવાલોના જવાબ આપ્યા તેમને કહ્યું કે જો સ્મૃતિ ઈરાની જીતી રહી છે, તો તેમને અભિનંદન. અમેઠીના લોકોએ તેમને પસંદ કરવાનો નિર્ણય કર્યો છે, તો તેમના નિર્ણયનું સ્વાગત કરું છું.
Congress President Rahul Gandhi: I had said that during the campaign 'janta maalik hai' and today people have clearly given their decision. I congratulate the PM and BJP. #ElectionResults2019 pic.twitter.com/vO5HBkoorb
— ANI (@ANI) May 23, 2019
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામોની સમીક્ષા પછી કરવામાં આવશે. આશા રાખું છું કે સ્મૃતિ ઈરાની લોકોનું ધ્યાન રાખશે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી અમેઠીમાં સ્મૃતિ ઈરાનીથી 30 હજાર વોટ પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં ફક્ત રાયબરેલી સીટ પર જ આગળ ચાલી રહી છે, અહીં સોનિયા ગાંધી ઉમેદવાર છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામો જોઈને કોંગ્રેસ નેતાને આવ્યો હાર્ટ એટેક, થયુ મોત