લોકસભા ચૂંટણી 2024માં મમતા દીદી બગાડશે પીએમ મોદીનો ખેલ, સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામો
ABP C Voter Survey: દરેક રાજકીય પક્ષ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભાજપનો દાવો છે કે આ વખતે તે 400થી વધુ બેઠકો જીતશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પીએમ બનશે, ભાજપ અને મોદીની હેટ્રિકને કોઈ રોકી શકશે નહીં કારણ કે જનતાનો તેમની સાથે સંપૂર્ણ સમર્થન છે.
મોદી અને બીજેપીના વિજય રથને રોકવા માટે 'ઇન્ડિયા ગઠબંધન' ઉભરી આવ્યું છે, જેના મહત્વના સભ્ય તૃણમૂલના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. પીએમ મોદીને ખુલ્લા મંચ પર પડકારનાર મમતા દીદીનો ઈરાદો ભાજપને હરાવવાનો છે.

મમતા દીદીએ વિધાનસભાની ચૂંટણીમાં જેમ ભાજપને હરાવ્યુ હતુ તેમ લોકસભાની ચૂંટણીમાં પણ તે કરી શકશે? લોકસભા ચૂંટણીમાં ભાજપને બંગાળમાં નિરાશા મળશે? આવા પ્રશ્નો દરેકના મનમાં ચાલી રહ્યા છે, જનતાના મનમાં શું તચાલી રહ્યુ છે તે જાણવા માટે સી વોટરે એબીપી ચેનલ માટે એક સર્વે કર્યો હતો.
આ સર્વેમાં તેમણે જનતાને સીધો સવાલ કર્યો હતો કે 'શું આગામી લોકસભા ચૂંટણીમાં બંગાળમાં મોદીનો જાદુ ચાલશે? શું ભાજપ ત્યાં સીએમ મમતાને પડકાર આપી શકશે? આ સર્વેમાં જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે પરિણામો આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે.
સર્વેમાં 54 ટકા લોકોએ કહ્યું કે હા, આગામી લોકસભા ચૂંટણીમાં બંગાળમાં મોદીનો જાદુ કામ કરશે અને ભાજપ અહીં TMCને સખત પડકાર આપશે. 36 ટકા લોકો એવા છે જેઓ માનતા હતા કે મોદીનો જાદુ ચાલશે નહીં અને ભાજપને પડકારી શકશે નહીં. 10 ટકા લોકો આ અંગે કોઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ન હતા.
સવાલ- શું આગામી લોકસભા ચૂંટણીમાં બંગાળમાં મોદીનો જાદુ ચાલશે?
સર્વેના પરિણામો
હા - 54 ટકા
ના - 36 ટકા
ખબર નથી - 10 ટકા
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં કુલ 42 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને 22, ભાજપને 18, સીપીઆઈએમને 0 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી.
પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ સરકારે પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતી હતી. તેણે 216 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 77 બેઠકો મળી હતી. ભારતીય બિનસાંપ્રદાયિક મોરચાએ એક બેઠક જીતી, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ડાબેરી મોરચાએ એકપણ બેઠક જીતી ન હતી.
જો સર્વેના પરિણામો ચૂંટણીના આંકડાઓમાં પરિવર્તિત થાય તો તે ચોક્કસપણે વિપક્ષ માટે ચિંતાનો વિષય છે અને તેણે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો પડશે. તમને જણાવી દઈએ કે આ સર્વે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
