Lok Sabha elections 2024: ચિરાગ પાસવાનની પાર્ટીના 22 નેતાઓએ એકસાથે આપ્યુ રાજીનામુ, ટિકિટ વહેંચણીથી નારાજ
Lok Sabha elections 2024: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે હવે માત્ર પખવાડિયું જ બાકી છે તે દરમિયાન લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને જોરદાર ફટકો પડ્યો છે. જહાનાબાદના પૂર્વ સાંસદ અરુણ કુમાર સહિત 22 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેણુ કુશવાહા, પ્રદેશ પ્રવક્તા પ્રો. વિનીત સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ સતીશ કુમાર, રાજ્ય સંગઠન સચિવ ઇ. રવિન્દ્ર સિંહ સહિત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહામંત્રી પણ સામેલ છે. આ તમામ લોકો ટિકિટની વહેંચણીથી નારાજ છે.

'બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટ'નો નારો આપનાર ચિરાગ પાસવાન પર 'મની ફર્સ્ટ-ફેમિલી ફર્સ્ટ' હેઠળ લોકસભામાં ટિકિટ વેચવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એલજેપીના રાજ્ય સંગઠન સચિવ રહી ચૂકેલા ઇ. રવિન્દ્ર સિંહનું કહેવું છે કે જ્યારે ચિરાગ પાસવાન સૌથી વધુ મુશ્કેલીમાં હતા, તેના પરિવારે પણ તેને છોડી દીધો હતો, તેમની પાર્ટી અને સહયોગી ભાજપે પણ તેમની પીઠમાં છરો માર્યો હતો Sવા સમયે આ કાર્યકરોએ જ પાર્ટીનું પોષણ કર્યું હતું.
રવિન્દ્ર સિંહે કહ્યું કે આ નેતાઓએ ચિરાગ પાસવાનના વિઝન પર વિશ્વાસ કર્યો અને તેમની પાર્ટીને આગળ લઈ જવા માટે દિવસ-રાત કામ કર્યું. તેમની મહેનતને કારણે જ એનડીએ ગઠબંધનને સીટ વહેંચણીમાં પાર્ટીને પાંચ લોકસભા સીટો આપવાની ફરજ પડી હતી. પરંતુ ટિકિટ વિતરણમાં જે રીતે પક્ષના કાર્યકરોની અવગણના કરવામાં આવી તે આશ્ચર્યજનક છે. ચિરાગે પાર્ટીમાં કોઈ કાર્યકરને ટિકિટ આપી નથી.
રવિન્દ્ર સિંહનો આરોપ છે કે વીણા દેવી જેમણે એલજેપીને તોડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી. વીણા દેવીએ ચિરાગ પાસવાન વિરુદ્ધ ઘણા વાંધાજનક નિવેદનો આપ્યા હતા અને તેમના પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો.
રવિન્દ્ર સિંહનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણીના બે દિવસ પહેલા સુધી ચિરાગ પોતે કહેતા હતા કે દેશદ્રોહીઓને ટિકિટ આપવામાં આવશે નહીં. પરંતુ તેમણે વીણા દેવીને પાર્ટીની ટિકિટ જ આપી એટલુ જ નહિ પરંતુ મીડિયા સામે આવીને કહ્યું કે તેમને ટિકિટ આપવી એ યોગ્ય નિર્ણય છે.
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીની પુત્રી સુશ્રી સંભવી ચૌધરી પણ LJP (રામ વિલાસ)ની પ્રાથમિક સભ્ય નથી. તેના પિતા છેલ્લા 4 વર્ષથી સતત તમારા વિરુદ્ધ નિમ્ન કક્ષાના નિવેદનો આપી રહ્યા છે. આ તમામ બાબતોને અવગણીને શ્રીમતી શાંભવી ચૌધરીને સમસ્તીપુરથી પાર્ટીની ટિકિટ આપવામાં આવી હતી.
રવિન્દ્ર સિંહે કહ્યું કે અમારી સાથે સંપૂર્ણ રીતે રમત રમવામાં આવી છે. પાર્લામેન્ટ બોર્ડ પાસેથી બે-બે નામ માંગવામાં આવ્યા હતા, જેમાંથી એકને ટિકિટ મળી હતી. હંમેશા કાર્યકરોને જ ટિકિટ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તેમણે ગદ્દારોને ટિકિટ આપી. ED અને ITએ જેના પર દરોડા પાડ્યા હતા એવા એક દાણચોરને પણ ટિકિટ પણ આપવામાં આવી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
