Lok Sabha elections 2024: ભાજપના વિરોધ માટે ધાર્મિક મંચનો ઉપયોગ કેમ? કિરણ રિજિજુએ રાહુલ ગાંધીને પૂછ્યુ
Lok Sabha elections 2024: રાજકીય પક્ષોનું ધ્યાન લોકસભા ચૂંટણી (2024)ના ચૂંટણી પ્રચાર પર છે. આ સમયગાળા દરમિયાન, રાજકારણીઓમાં પણ બયાનબાજી તેજ થઈ ગઈ છે. એક તરફ, ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો મોદી સરકાર પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ વિરૂદ્ધ સંપૂર્ણ ધાર્મિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ પર સવાલો ઉભા કર્યા છે.
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા કિરણ રિજિજુએ એક પોસ્ટ શેર કરી છે અને ભાજપ વિરુદ્ધ ધાર્મિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી છે. એક પોસ્ટ શેર કરીને રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કોંગ્રેસના ચૂંટણી પ્રચારને લઈને સવાલો ઉઠાવ્યા છે.

ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "પ્રિય રાહુલ ગાંધી, તમે ચૂંટણીમાં આવી વસ્તુઓને કેમ મંજૂરી આપી છે. તમારી કોંગ્રેસ પાર્ટી અરુણાચલ પ્રદેશમાં એક ક્રિશ્ચિયન પ્લેટફોર્મનો ભાજપ વિરૂદ્ધ આટલી શરમજનક રીતે દુરુપયોગ કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વના લોકો માટે ઘણું કર્યુ છે."
કોંગ્રેસે અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને APCC પ્રમુખ નબામ તુકીને પશ્ચિમ અરુણાચલ સંસદીય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પૂર્વ મંત્રી બોસીરામ સિરામને 2-પૂર્વ અરુણાચલ સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
જ્યારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ લોકસભા ચૂંટણીમાં અરુણાચલ પૂર્વ બેઠક માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તાપીર ગાઓને અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને અરુણાચલ પશ્ચિમ બેઠક માટે મેદાનમાં ઉતાર્યા છે.
તમને જણાવી દઈએ કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી અને પેમા ખાંડુને મુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2014ની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) એ એક-એક બેઠક જીતી હતી.












Click it and Unblock the Notifications
