લોકસભા ચૂંટણી કોઇપણ સમયે થઇ શકે છે: અખિલેશ

અખિલેશે આગળ કહ્યું કે 'કોંગ્રેસ સાશિત સરકારના શાસનકાળમાં માત્ર મોંઘવારી અને ભ્રષ્ટાચારને જ પ્રોત્સાહન મળ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં દેશની જનાતા કોંગ્રેસને તેના પાપોની સજા આપશે. સપાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની જનતાથી જે વાયદા કર્યા હતા, તેને એક એક કરીને પૂરા કરી રહ્યા છીએ.'
અગઉ બહુજન સમાજવાદી પાર્ટી સરકાર પર હુમલો કરતા અખિલેશે જણાવ્યું કે માયાવતી સરકારના શાસનકાળમાં ઉત્તર પ્રદેશમાં જનતાના રૂપિયાનો ઉપયોગ વિકાસ કાર્યો માટે નહીં પરંતુ મૂર્તિઓ, સ્મારકો અને પાર્કો પર ખર્ચાયા હતા. તેમણે કહ્યું કે સપા સરકારે ઉત્તરપ્રદેશની સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં વિકાસને ગતિ મળી છે.
જોકે કોંગ્રેસના આગેવાની હેટળની યુપીએ સરકાર આ અંગે સ્પષ્ટપણે એવું માને છે કે તેમની સરકાર નિર્ધારીત સમય પહેલા ચૂંટણી થવાની કોઇ શક્યતા નથી. હજીએ તેમની સરકાર મજબૂત સ્થિતિમાં છે.












Click it and Unblock the Notifications
