કોરોના: ઓમિક્રોન વેરિઅન્ટનું વિચિત્ર લક્ષણ આવ્યું સામે, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ઓમિક્રોન પર વિશ્વભરના વૈજ્ઞાનિકો નવી-નવી માહિતી એકત્રિત કરી રહ્યાં છે. WHO પણ ચેતવણી જાહેર કરી ચૂક્યુ છે. ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે લક્ષણો પર ધ્યાન ના આપવ
ઓમિક્રોન પર વિશ્વભરના વૈજ્ઞાનિકો નવી-નવી માહિતી એકત્રિત કરી રહ્યાં છે. WHO પણ ચેતવણી જાહેર કરી ચૂક્યુ છે. ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે લક્ષણો પર ધ્યાન ના આપવાની બેદરકારીને કારણે કેસો વધવાની શક્યતા છે. આ જ કારણ છે કે તબીબી નિષ્ણાંતો લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણને નજરઅંદાજ ના કરવાની સલાહ આપી રહ્યાં છે.

કોરોનાના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્વાદ અને સુગંધ જતી રહેવી, તાવ, ગળામાં ખારાશ અને શરીરમાં દુ:ખાવો છે. જો કે ઓમિક્રોનના દરેક દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા નથી. અત્યાર સુધીના ડેટાના આધારે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે કોરોનાના ફક્ત 50 ટકા દર્દીઓને તાવ, કફ અને સ્વાદ-સુંગધની કમીનો અહેસાસ થઇ રહ્યો છે. જો કે ઓમિક્રોનના મોટાભાગના દર્દીઓમાં એક ખાસ લક્ષણ જરૂર જોવા મળ્યાં છે અને તે છે ભૂખ ના લાગવી. જો તમને કેટલાંક અન્ય લક્ષણોની સાથે ભૂખ ના લાગતી હોય તો તમારે કોઈ ડૉકટર અને નિષ્ણાંત પાસેથી સલાહ આવશ્ય લેવી જોઈએ અને ત્યારબાદ કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 1700 કેસ સામે આવી ગયા છે. આ દરમ્યાન ઈન્ડિયન SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમનું કહેવુ છે કે દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનની સંક્રમકતા દર, ઈમ્યુનિટીથી બચવાની ક્ષમતા અને ગંભીરતા પર સ્પષ્ટ પુરાવા સામે આવ્યાં નથી. INSACOG એ પોતાના બુલેટીનમાં કહ્યું કે હજી પણ ડેલ્ટા વેરિએન્ટ આખી દુનિયામાં ચિંતાનો વિષય બન્યો છે. જો કે આ દરમ્યાન ઓમિક્રોન પણ ઝડપથી વધી રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
