જાણો કોણ છે આજે સીમા પર ચીની જનરલને મળનાર લે.જનરલ હરિંદર સિંહ
એલએસી પર ચાલી રહેલ વિવાદને ઉકેલવાા હેતુથી બૉર્ડર પર બેઠક થવાની છે. ભારત તરફથી લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ વાતચીતને લીડ કરશે. આવો તમને જણાવીએ કે કોણ છે લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ.
છ જૂન એટલે કે આજે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ વિવાદને ઉકેલવાા હેતુથી બૉર્ડર પર બેઠક થવાની છે. વિવાદ શરૂ થવાના એક મહિના બાદ યોજાનાર બેઠકમાં માત્ર ભારત અને ચીન નહિ પરંતુ દુનિયાભરના વિશેશજ્ઞોની નજર ટકેલી છે. આ બેઠકને સીમા પર ભારત અને સેના વચ્ચે ચાલી રહેલ ટકરાવને ટાળવા માટે ઘણી સંવેદનશીલ માનવામાં આવી રહી છે. ભારત તરફથી લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ વાતચીતને લીડ કરશે. આવો તમને જણાવીએ કે કોણ છે લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ. લે. જનરલ સિંહે 10 વર્ષ પહેલા ચીન પર ટિપ્પણી કરી હતી અને 10 વર્ષ બાદ તે ચીની સેના સાથે વિવાદ ઉકેલવા માટે તૈયાર છે.
લેહ સ્થિત 14મી કૉર્પ્સના કમાંડર
લે.જનરલ હરિંદર સિંહ લદ્દાખની રાજધાની લેહ સ્થિત 14મી કૉર્પ્સના કમાંડર છે. આ કમાંડરને ફાયર એન્ડ ફ્યુરીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે ઉધમપુર સ્થિત નૉર્ધન આર્મી કમાંડ હેઠળ આવે છે. લે. જનરલ સિંહને કમાઉન્ટર ઈનસર્જીના એક્સપર્ટ માનવામાં આવે છે. 14 કૉર્પ્સને કમાંડ કરતા પહેલા તે સેનાના ઘણા મહત્વના પદો પર સેવાઓ આપી ચૂક્યા છે. 14 કૉર્પ્સ પર આવતા પહેલા તે ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઈન્ટેલીજન્સ, ડાયરેક્ટ જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન્સ અને ડાયરેક્ટર જનરલ ઑફ લૉજિસ્ટિક્સ એન્ડ સ્ટ્રેટેજિક મૂવમે્ટને સંભાળી ચૂક્યા છે. નેશનલ ડિફેન્સ એકેડમી(એનડીએસ)થી પાસઆઉટ લે. જનરલ હરિંદર સિંહ આફ્રિકામાં યુનાઈટેડ મિશન સાથે પણ તૈનાત રહ્યા છે.
વર્ષ 2010માં શું કહ્યુ હતુ ચીન વિશે
વર્ષ 2010ં લે.જનરલ સિંહ કર્નલના પદ પર હતા અને તેમણે 'ઈમરજિંગ લેન્ડ વૉરફાઈટિંગ ડૉક્ટરાન્સ એન્ડ કેપેબિલિટીઝ' ના ટાઈટલ સાથે પેપર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યુ હતુ કે ભારત અને ચીન સન 1962 બાદથઈ જ પોતાની સીમાઓને ઉકેલવામાં લાગ્યા છે. સીમા પર ટકરાવ એક એવો મુદ્દો છે જેને રોકવામાં ન આવે તો તે એક સ્થાનક સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. 10 વર્ષ બાદ હવે લેં. જનરલને જવાબદારી સોંપવામાં આવી છે કે તે આ ટકરાવને ઉકેલવાનો રસ્તો કાઢે. એ વાત પણ રસપ્રદ છે કે લે. જનરલ સિંહ લેં.જનરલ વાયકે જોથી 14 કૉર્પ્સને કમાંડ કરી રહ્યા હતા અને હવે તે નૉર્ધન આર્મી કમાંડર છે. લે. જનરલ વાય કે જોશીને ચીનના મુદ્દાઓના વિશેષજ્ઞ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે તેમણે લે. જનરલ સિંહને આજની બેઠક માટે સારા નિર્દેશ આપ્યા હશે.
જમ્મુ કાશ્મીરનો સારો એવો અનુભવ
તેમની પાસે જમ્મુ કાશ્મીરનો સારો એવો અનુભવ છે. તે નૉર્થ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયનને કમાન્ડ કરી ચૂક્યા છે. એનડીએથી પાસઆઉટ થયા બાદ લે. જનરલ સિંહ મરાઠા લાઈટ ઈંન્ફેન્ટીમાં કમીશન્ડ થયા હતા. આ ઉપરાંત તે ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ (ડીએસએસી)થી પણ ગ્રેજ્યુએટ છે. સિંગાપુર સ્થિત એસ રાજારત્નમ સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ(આઈડીએસએ)માં પણ તે સીનિયર રિસર્ચ ફેલો રહ્યા છે. તેમને લખવાનો પણ શોખ છે અને તેમના ઘણા નિબંધ અને પેપર્સ પબ્લિશ થઈ ચૂક્યા છે. તેમનુ એક પુસ્તક જેનુ ટાઈટલ છે એસ્ટાબ્લિશિંગ ઈન્ડિયાઝ મિલિટ્રી રેડીનેસ કંસર્ન એન્ડ સ્ટ્રેટેજી રિલીઝની રાહ જોઈ રહી છે.
થઈ ચૂકી છે 10 રાઉન્ડની વાતચીત
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુએલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ વિવાદને ઉકેલવાના હેતુથી છ જૂને વાતચીત થશે. લેફ્ટનન્ટ જનરલ સ્તરની આ વાતચીતમાં પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ તણાવે ઉકલેવાના વિકલ્પો વિશે વાત થઈ શકે છે. સેનાના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારત તરફથી 14 કૉર્પ્સના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ હાજર રહેશે અને પોતાના ચીની સમકક્ષ સાથે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરશે. આ વિવાદને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે 10 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. આમાંથી ત્રણે મેજર જરનલ સ્તરની હતી. સેનાના વિશેષજ્ઞ માની રહ્યા છે કે લદ્દાખના સ્થિતિ જૂન 2017માં ડોકલામમાં પેદા થયેલી સ્થિતિઓથી સંપૂર્ણપણે અલગ છે.
ભારત-ચીન સૈન્ય કમાંડરોની આજે બેઠક, શું સીમા પર તણાવ ઘટશે?