પ્રેમિકાની હત્યા કરીને ઘરમાં જ લાશ દાટી, 6 મહિના પછી ખુલાસો
રાજધાની લખનવના સઆદતગંજ થી 6 મહિના પહેલા લાપતા થયેલી રામજાનકી (32) ની લાશ બુધવારે માનકનગર નિવાસી તેના પ્રેમીના ઘરના આંગણે દાટેલી મળી આવી
રાજધાની લખનવના સઆદતગંજ થી 6 મહિના પહેલા લાપતા થયેલી રામજાનકી (32) ની લાશ બુધવારે માનકનગર નિવાસી તેના પ્રેમીના ઘરના આંગણે દાટેલી મળી આવી. હત્યાકાંડનો ખુલાસો કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જયારે પોલીસે લાશને કબ્જે કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
આ પણ વાંચો: દારૂ માટે પૈસા નહીં આપ્યા તો માં અને ભાઈની હત્યા કરી નાખી
શુ છે મામલો
મળતી જાણકારી અનુસાર રાજધાની લખનવના સઆદતગંજ નિવાસી રામજાનકી (32) ગયા વર્ષે 27 ઓક્ટોબરે અચાનક ગાયબ થઇ ગઈ. તેની માતાએ બીજા દિવસે સઆદતગંજ ચોકીમાં ગાયબ થવાની રિપોર્ટ લખાવી. એએસપી પશ્ચિમી વિકાસ ચંદ્ર ત્રિપાઠી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જાંચમાં બ્રિજેન્દ્ર કુમારનું નામ સામે આવ્યું.
બ્રિજેન્દ્ર કુમારના મહિલા સાથે સંબંધ હતા
પોલીસે જણાવ્યું કે બ્રિજેન્દ્ર કુમાર યાદવ ઉર્ફ મોટુના સંબંધ મહિલા સાથે હતા. ઇન્સ્પેક્ટર મહેશ પાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાના ફોનનું સીડીઆર કાઢવામાં આવ્યું ત્યારે ગાયબ થવાની રાત્રે છેલ્લો ફોન બિજેન્દ્રનો હતો. પોલીસ ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તે ઘણા મહિનાથી ઘર છોડીને ભાગી ગયો હતો. બુધવારે જયારે તે ઘરે આવ્યો ત્યારે પોલીસે તેને પકડી લીધો.
પૂછપરછમાં આખી ઘટનાનો ખુલાસો થયો
એએસપી પશ્ચિમી વિકાસ ચંદ્ર ત્રિપાઠી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામજાનકીનાં પતિની થોડા વર્ષો પહેલા જ મૌત થઇ ગઈ હતી. તે 8 વર્ષના દીકરા અને 5 વર્ષની દીકરીને એકલા સાથે ઉછેરી રહી હતી. લગભગ એક વર્ષ પહેલા બિજેન્દ્રનો તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. 27 ઓક્ટોબરે રામજાનકી જયારે તેના ઘરે પહોંચી, ત્યારે તે નશામાં ધૂત હતો. તે બંને વચ્ચે ઝગડો થયો અને બિજેન્દ્રએ ઈટથી રામજાનકી પર પ્રહાર કર્યો. માથા પર ઈટ વાગતા લોહી લુહાણ થઈને તે જમીન પર પડી ગઈ. ત્યારપછી બિજેન્દ્રએ રૂમમાં ફેલાયેલું લોહી સાફ કર્યું અને ઘરની પાછળ ખાલી જગ્યા પર ખાડો ખોદીને તેને દાટી દીધી. પોલીસે બિજેન્દ્રના ઘરે જઈને ખોદકામ કર્યું, ત્યારે તેમને રામજાનકીનુ કંકાલ મળી આવ્યું.