લુધિયાણા ગેસ લીકઃ મૃતકના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોને 50 હજારના વળતરનુ માન સરકારનુ એલાન
લુધિયાણાના ગ્યાસપુર વિસ્તારમાં ગેસ લીક થવાના કિસ્સામાં, પંજાબ સરકારે મૃતકોના નજીકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
લુધિયાણાના ડેપ્યુટી કમિશનર સુરભી મલ્લિકે કહ્યું કે ઘાયલોની સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. કયો ગેસ કે કેમિકલ લીક થયો હતો અને કેટલી માત્રામાં લીક થયો હતો તે ચકાસવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સીલબંધ વિસ્તારનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગયાસપુર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાંથી સવારે ગેસ લીક થયો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 4ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.












Click it and Unblock the Notifications
