મધુ કોડાએ કર્યુ સરેન્ડર, 14 દિવસની ન્યાયિક હિરાસત

કોડાએ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પહેલા પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મને મારી બીમાર માની દેખરેખ માટે જમાનત આપવામાં આવી હતી. મારી માને મારી જરૂરિયાત છે. તે અસ્વસ્થ છે અને હોસ્પિટલમાં દાખલ છે.
નોંધનીય છે કે, 2009માં ભ્રષ્ટાચારના વિભિન્ન મામલાઓને લઇને કોડાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ આયકર વિભાગ, સીબીઆઇ, પ્રવર્તન નિદેશાલય તથા રાજ્ય સતર્કતા વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર હેઠળ કોડાએ 2500 કરોડ રૂપિયાના કાળા ઘનને વૈધ બનાવવા માટેના ગોટાળાના કારણે પણ તેઓ ચર્ચાનું કારણ બન્યા છે.












Click it and Unblock the Notifications
