કમલનાથ સરકારની મુશ્કેલી ફરી વધી, કોંગ્રેસી MLA હરદીપ ડંડે રાજીનામું આપ્યું
કમલનાથ સરકારની મુશ્કેલી ફરી વધી, કોંગ્રેસી MLA હરદીપ ડંડે રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સતત સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. આ દરમિયાન સુવાસરા વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે વિધાનસભાની સભ્યતાથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી કમલનાથ અને વિધાનસભા અધ્યક્ષ એન પી પ્રજાપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ રાજીનામામાં તેમણે પોતાની કેટલીય સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે મંત્રીઓ અને ખાસ કરીને સીએમ તરફથી ઉપેક્ષાથી પરેશાન થઈ તેઓ આ પગલું ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ અને વિધાનસભા અધ્યક્ષને મોકલેલા રાજીનામામાં તેમણે મંત્રીઓની ઉપેક્ષાને લઈ ફરિયાદ કરી છે. ડંગે લખ્યું કે જ્યારથી સરકાર બની છે ત્યારથી આજ સુધી તમારા મંત્રી મુખ્યમંત્રી અને મંત્રીઓ દ્વારા વિધાનસભા અને સંસદીય ક્ષેત્રમાં સતત મારી ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ડંગે રાજીનામામાં લખ્યું, 'હું માનું છું કે હું એક નાનો વ્યક્તિ છું. મારી ભૂલ રહી કે હું કમલજી, દિગ્વિજય સિંહ જી કે સિંધિયાજીના ગુટનો નથી. હું માત્ર કોંગ્રેસનો જ રહ્યો છું, માટે મારે એટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હરદીપ સિંહ ડાંગ આ ચાર ધારાસભ્યોમાં સામેલ છે, જેમને બેંગ્લોર લઈ જવાની વાત કહેવામાં આવી રહી છે.'
અગાઉ મંગળવારે મોડી રાતે રાજનૈતિક ડ્રામા એવા સમયે શરૂ થયો, જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ, બીએપી અને એસપીના કુલ નવ ધારાસભ્યો અચાનક ગાયબ થઈ ગયા. આમાંથી પાંચ ધારાસભ્યોને બુધવારે મોડી રાતે ભોપાલ લાવવામાં આવ્યા. જો કે ચાર ધારાસભ્યો હજી પણ લાપતા જણાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના બિસાહૂલાલ, હરદીપ સિંહ ડંગ, રઘુરાજ કંસાના અને નિર્દળીય સુરેન્દ્ર સિંહ શેરા સામેલ છે. બીજી તરફ ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં બિસાહૂલાલ સિંહના લાપતા થવાની ફરિયાદ નોંધાવાઈ રહી છે. તેઓ ત્રણ દિવસથી લાપતા છે.












Click it and Unblock the Notifications
