ભોપાલમાં રહસ્યમ સંજોગોમાં મળ્યો ક્રિકેટરનો મૃતદેહ

મળેલી માહિતી અનુસાર, રાજા અલી મધ્ય રેલવે તરફથી રણજી રમતા હતા. મેદાન પર સારું ક્રિકેટ રમનાર રાજાનું મોત અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કરે છે. ગત રાત્રે જે સ્થળેથી રાજાનો મૃતદેહ અને બાઇક મળી આવી છે તેનાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સંભવતઃ રાજાનું મોત બીમારીના કારણે પણ થયું હશે.
પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતાના કારણો જાણી શકાશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે અંગત અદાવતને કેન્દ્રમાં રાખી પરિવાર અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
