દતિયાના DM, SP સહિત શ્રેષ્ઠ અધિકારીઓ સસ્પેન્ડ, મૃતકોની સંખ્યા 115 થઇ
ભોપાલ/નવી દિલ્હી, 15 ઓક્ટોબર: રતનગઢ મંદિર પાસે થયેલી નાસભાગના કારણે સર્જાયેલી કરુણાંતિકાના પગલે મધ્યપ્રદેશ સરકારે સોમવારે રાત્રે દતિયાના જિલ્લા અધિકારી ઉપરાંત ત્રણ વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આ ઘટનામાં 115 શ્રદ્ધાળુઓના મોત થયા છે, અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઇ ગયા છે. આ નિર્ણય ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ લેવામાં આવ્યો છે. કારણ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
દતિયાના જિલ્લા અધિકારી સંકેત ભોંદવે, પોલીસ અધીક્ષક સીએસ સોલંકી, એસડીએમ મહિપ તેજસ્વી અને એસડીઓપી બીએન બસાવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આજે દિવસે રાજ્ય ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યું કે તે દતિયાના જિલ્લા અધિકારી, પોલીસ અધીક્ષક, સબ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ પોલીસ અધિકારી અને સેવધા પોલીસ સ્ટેશનના આખા સ્ટાફને આ ઘટનાના સંબંધમાં સસ્પેન્ડ કરી દે.
જોકે જિલ્લા અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે માટે રાજ્ય સરકાર મધ્યપ્રદેશ સરકાર મુખ્ય ચૂંટણી અધિકારીની સાથે સંપર્કમાં હતી. તેણે બીજા અધિકારીનું નામ સૂચવ્યું હતું અને ચૂંટણી પંચે રઘુરાજના નામને મંજૂરી આપી દીધી છે.

મુખ્યમંત્રી રવિવારે થયેલી આ ઘટનાનું નિરીક્ષણ કરવા માટે દતિયા ગયા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિનું નીરિક્ષણ કર્યા બાદ આ નાસભાગ માટે પ્રાથમિક રીતે આ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા. રાજ્યમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે.
આ ઘટનાની તપાસ રિપોર્ટ બે મહિનામાં આવી જશે અને તેના 15 દિવસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ચૌહાણ ઘટનાસ્થળ પર જવા માંગતા હતા પરંતુ ચૂંટણી પંચની પરવાનગી નહીં મળવાના કારણે તેઓ ત્યાં જઇ શક્યા નહીં.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
