For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીની હત્યામાં દોષી નલિની એક મહિના માટે આઝાદ

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા મામલે સજા ભોગવી રહેલી નલિની શ્રીહરણ જેલથી બહાર આવી ચુકી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા મામલે સજા ભોગવી રહેલી નલિની શ્રીહરણ જેલથી બહાર આવી ચુકી છે. મદ્રાસ હાઇકોર્ટે તેને 30 દિવસની પેરોલ આપી છે. ત્યારપછી ગુરુવારે તે જેલથી બહાર આવી ચુકી છે. નલિનીએ હાઇકોર્ટ પાસે 6 મહિનાની પેરોલ માંગી હતી, જેથી તેઓ દીકરીના લગ્નની તૈયારીઓ કરી શકે પરંતુ કોર્ટે ફક્ત 30 દિવસની મંજૂરી આપી છે.

Nalini Sriharan

આપને જણાવી દઈએ કે નલિનીની દીકરી લંડનમાં રહે છે. રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે ઉમરકેદની સજા ભોગવી રહેલા સાત દોષીઓમાં પેરારીવલન, મારુગન, નલિની, શાન્તન, રવિચંદ્રન, જયકુમાર અને રોબર્ટ પાયસ શામિલ છે. આ બધા જ 21 મેં 1991 થી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના સંબધંમાં જેલમાં છે.

આ પણ વાંચો: ગાંધી પરિવાર અને કોંગ્રેસની આ વાતથી દુખી હતાં શીલા દીક્ષિત, ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો ખુલાસો

English summary
Madras High Court granted Nalini Sriharan parole
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X