કૃષિકાયદાના વિરોધમાં કરનાલમાં મહાપંચાયત, હજારો ખેડૂતો એકઠા થયા, ઇન્ટરનેટ બંધ
કૃષિકાયદાના વિરોધમાં કરનાલમાં મહાપંચાયત, હજારો ખેડૂતો એકઠા થયા, ઇન્ટરનેટ બંધ
આજે કરનાલમાં ખેડૂત મહાપંચાયત થઈ રહી છે, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. જેને પગલે કરનાલ અને આસપાસના જિલ્લાઓમાં સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
મહાપંચાયતમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, બલબીરસિંહ રાજેવાલ, ગુરનામસિંહ સહિતના ખેડૂતનેતાઓ પણ હાજર છે.
જિલ્લાના તંત્ર દ્વારા કલમ 144 પણ લાદી દેવાઈ છે અને સંખ્યાબંધ પોલીસકર્મીઓ ગોઠવી દેવાયા છે.
કૃષિકાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો મહાપંચાયતોનું આયોજન કરી રહ્યા છે, જેના ભાગરૂપે કરનાલમાં મહાપંચાયત બોલાવાઈ છે.

કરનાલ અને તેની આસપાસના ચાર જિલ્લામાં ઇન્ટરનેટ બંધ છે, ગૃહવિભાગ તરફથી જારી આદેશ અનુસાર આ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સોમવારે બપોરે 12.30 વાગ્યાથી મંગળવાર મધરાત સુધી બંધ રહેશે.
જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'મોબાઇલ ઇન્ટરનેટ, એસએમએસ અને ડૉન્ગલથી ચાલતા ઇન્ટરનેટની સેવા બંધ રહેશે.'
અત્રે નોંધવું કે મુઝફ્ફરનગરમાં 5મી તારીખે મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.
- એ બે મુસ્લિમ દેશ, જેણે તાલિબાનને આપ્યું નવજીવન
- કંદહાર વિમાન અપહરણ : ભારતીય વિમાનની આસપાસ ચક્કર મારનાર સાઇકલસવાર કોણ હતો?
- કોરોનાકાળમાં ભારતમાં માથું ઊંચકતો વધુ એક ખતરનાક વાઇરસ, શું છે લક્ષણો?
મુઝફ્ફરનગરની મહાપંચાયત

આજે કરનાલમાં મહાપંચાયત હોવાથી તંત્ર દ્વારા ચંડીગઢથી દિલ્હી જતાં અને દિલ્હીથી હરિયાણા જતા લોકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી છે.
પ્રશાસને કહ્યું છે કે તેઓ સુનિશ્ચિત કરશે કે ખેડૂતો દ્વારા હાઈવે જામ ન કરવામાં આવે.
જ્યારે બીજી તરફ ખેડૂતનેતાઓએ આહ્વાન કર્યું છે કે તેઓ બૅરિકેડ તોડીને ઘૂસી જશે અને વિરોધ નોંધવાશે.
'મરી જઈશું પણ આંદોલન નહીં છોડીએ’

આ અગાઉ ખેડૂતનેતા રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગર ખાતે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે ખેડૂતો પોતાની માગો પૂરી ન થાય, ત્યાં સુધી દિલ્હીની બૉર્ડરો પરથી નહીં હઠે.
રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે, "ખેડૂતો પોતાનો વિજય ન થાય, ત્યાં સુધી પાછળ નહીં હટે."
ખેડૂત મહાપંચાયત ત્રણ કૃષિકાયદાના વિરોધમાં યોજાઈ હતી. કાયદા પાછા ખેંચવાની માગને લઈને ખેડૂતો નવ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.
રાકેશ ટિકૈતે કહ્યું, "અમે પ્રણ લઈએ છીએ કે અમે આંદોલનનું સ્થળ નહીં છોડીએ, ભલે ત્યાં અમારી કબરો કેમ ન ખોદાઈ જાય. જરૂર પડ્યે અમે પ્રાણ ત્યજી દઈશું, પરંતુ અમારી જીત ન થાય ત્યાં સુધી અમે આંદોલનસ્થળ નહીં છોડીએ."
- ગુજરાતમાંથી જેનો વૅરિયન્ટ મળ્યો એ કોરોનાથી 'વધુ ખતરનાક' કૉંગો ફીવર શું છે?
- બીબીસી ઍક્સક્લુઝિવ : કોરોનામાં મોદી સરકારે આયુષ્યમાન ભારતને બદલે CAA, NPRના પ્રચાર પાછળ અઢળક ખર્ચ કર્યો?


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
