મહારાષ્ટ્ર: કંટેનરે થ્રી વ્હીલરને મારી ટક્કર, 7 લોકોનુ મોત
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર ટ્રક અને થ્રી વ્હીલર વચ્ચે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના મુંબઈથી લગભગ 240 કિમી દૂર કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર ટ્રક અને થ્રી વ્હીલર વચ્ચે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના મુંબઈથી લગભગ 240 કિમી દૂર કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસૂદપુર ફાટા નજીક સવારે 8 વાગ્યે બની હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, એક ફાસ્ટ કન્ટેનર ટ્રકે મુસાફરોને લઈ જતી થ્રી-વ્હીલર રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જ્યારે છ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
