Maharashtra Elections 2024 : મહારાષ્ટ્રમાં કોને લાભ-કોને નુકસાન? જાણો શું કહે NCP નો સર્વે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ બીજેપી, અજીત પવાર અને શિંદેની શિવસેના વાળી મહાયુતિએ પુરી તાકાત લગાવી દીધી છે.
ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલો લાભ થશે અને કેટલું નુકસાન એ તો મહારાષ્ટ્રમાં કરવામાં આવેલ તાજેતરના સર્વે ખુલાસો થયો છે.

લોકસભા ચૂંટણીમાં અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીનું પ્રદર્શન અન્ય પાર્ટીઓની તુલનામાં સૌથી ખરાબ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા એક આંતરિક સર્વે કરાવ્યો છે.
આ સર્વેમાં જેમાં મહાયુતિ અને એનસીપી સારૂ પ્રદર્શન કરવા જઈ રહી હોવાના સંકેત મળ્યા છે. સર્વે અનુસાર, અજીત પવારની એનસીપી હાલ 23 સીટો જીતી શકે છે.
Mahayuti : વધારે મહેનતની જરૂર
અજીત પવારે જૂન 2023ના શરદ પવાર સાથે ગદ્દારી કરીને સાથ છોડી દીધો હતો અને તે પોતાના 40 વિધાનસભા સભ્યો સાથે અલગ થઈ ગયા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં આ તમામ સભ્યોના જીતવાના શક્યતાઓ ખૂબ જ ઓછી જણાઈ રહી છે.
સર્વેમાં એનસીપીને 23 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે પરંતુ પાર્ટીને 16 એવી વિધાનસભા સીટો છે જ્યાં સૌથી વધારે મહેનત કરવાની જરૂર છે.
Maharashtra Election Survey : 70 સીટો પર સર્વે કરાયો
આ ઉપરાંત 31 એવી વિધાનસભા છે જ્યાં પાર્ટીના માટે સ્થિતિ અનુકૂળ નથી. આ 31 વિધાનસભા સીટોમાં 21 જગ્યાએ પાર્ટીને જીતવા માટે તેના સાથીઓની જરૂર રહેશે. આ 21 સીટો પર અજીત પવારના ઉમેદવારો ત્યારે જ જીતશે જ્યારે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના ના મત એનસીપીને મળશે.
10 અન્ય વિધાનસભાઓ એવી છે જ્યાં એનસિપીને પોતાના વિરોધીઓ સામે નબળી છે. અજીત પવારની એનસીપીએ 70 સીટો માગી છે અને એટલે જ પાર્ટીએ આ 70 સીટો પર સર્વે પણ કરાવ્યો છે. આ સર્વેના દ્વારા મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે.
Maha Vikas Aghadi : અગાઉના આંકડાઓ શું કહે છે?
સપ્તેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં રાજ્યની 39.3 ટકા જનતા મહાયુતિના સમર્થનમાં હતી. જ્યારે ઓગસ્ટના સર્વેમાં આ આંકડો 37.01 ટકા હતો.
કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ગઠ) વિશે વાત કરીએ તો 42.43 ટકા જનતાએ MVAને સમર્થન આપ્યું હતું. જુલાઈમાં 34.68 ટકા જનતા મહાયુતિના સમર્થનમાં આવી હતી, જ્યારે MVAના સમર્થનમાં 43.2 ટકા લોકો હતા. આ સ્થિતીમાં બીજેપી અને સાથી પક્ષો માટે સ્થિતી કપરી છે.
સર્વેને લઈને એનસીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પહેલા તેમને માત્ર 6 સીટોમાં બઢત મળી હતી પરંતુ હાલ આ આંકડો 23 સુધી પહોંચ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 23 સીટોને સરળતાથી જીતી શકે છે, 16 સીટો પર વધુ મહેનત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, શિવસેના અને ભાજપના સહકારથી તે બાકીના સીટો પણ જીતી શકે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
