Maharashtra : મહાયુતિ સરકારમાં ફરીથી બગાવત થશે? શિંદેને ગમતા મત્રાલય આપવાની બીજેપીએ ના પાડી દીધી
Maharashtra : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં ફરીથી હંગામાની સ્થિતી સર્જાઈ છે. બીજેપીએ એકનાથ શિંદેને ગમતા મત્રાલય આપવા સાફ ઈન્કાર કરી દીધો હોવાના અહેવાલ છે.
સમાચારો પર વિશ્વાસ કરીએ તો બીજેપી મહારાષ્ટ્રમાં મંત્રાલયો મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. બીજી તરફ શિંદેને ગૃહમંત્રાલય લેવા મહત્વના મંત્રાલય જોઈએ છે તે વાત કોઈનાથી અજાણી નથી.

સમાચારો અનુસાર, બીજેપીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે. જેને મહારાષ્ટ્રની સુરક્ષા વ્યવસ્થા પર મજબૂત પકડ જાળવી રાખવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યુ છે.
આ વિભાગ શિંદેની શિવસેનાને આપવામાં આવ્યો નથી. જ્યારે શિવસેના (શિંદે જૂથ)ને મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ જેવા મહત્ત્વના વિભાગો ફાળવવામાં આવ્યા છે. એનસીપીના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણા અને આયોજન પોર્ટફોલિયો અપાયા છે.
ભાજપના એક વરિષ્ઠ નેતા અનુસાર, ગૃહ મંત્રાલય જાળવી રાખવાનો નિર્ણય રાષ્ટ્રીય સંકલન અને પાર્ટીની કેન્દ્રીય નીતિ અનુસાર લેવામાં આવ્યો છે.
બીજેપીએ મહાયુતિમાં સત્તાનું સંતુલન જાળવવા તેના ભાગીદારોની આકાંક્ષાઓને ધ્યાનમાં લીધી છે. અહેવાલો અનુસાર, બીજેપીના 18-20 મંત્રી હોઈ શકે છે, શિવસેના પાસે 12-14 અને NCP પાસે 9-11 મંત્રી આવી શકે છે. કેબિનેટમાં કુલ 30-35 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.
132 બેઠકોની મજબૂત જીતને કારણે બીજેપી મહત્વપૂર્ણ મંત્રાલયો જાળવી રાખે તેવી શક્યતા છે. જ્યારે શિવસેના અને એનસીપીને તેમના કદ પ્રમાણે વિભાગો આપવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
