દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના 31માં મુખ્યમંત્રી બન્યા, અજીત પવાર-એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા
Maharashtra CM Oath Ceremony : મહારાષ્ટ્રમાં લાંબી રાહ બાદ આખરે નવા મુખ્યમંત્રીએ શપથ લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત શપથ લીધા અને રાજ્યના 31 માં મુખ્યમંત્રી બન્યા.
મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલા સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે નરેન્દ્ર મોદી સહિત બીજેપીના મોટા નેતાઓની હાજરીમાં શપથ લીધા.

દેવેન્દ્ર ફડણવીસે મરાઠીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે શિવસેના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી અજિત પવારે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
જણાવી દઈએ કે, દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે અને અગાઉની મહાગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
એકનાથ શિંદેએ પ્રથમ વખત નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, તેઓ અગાઉની સરકારમાં મુખ્યમંત્રી હતા. તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા બાળાસાહેબ ઠાકરેને યાદ કર્યા. આ પછી તેણે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો.
NCP ચીફ અજિત પવારની વાત કરીએ તો અજિત પવારે છેલ્લા પાંચ વર્ષમાં સતત ત્રીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અજિત પવાર અગાઉની મહાવિકાસ આઘાડી સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ સંભાળી ચુક્યા છે.
મહાગઠબંધનમાં સામેલ થયા બાદ તેમણે સતત બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અજિત પવારે પણ મરાઠી ભાષામાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.












Click it and Unblock the Notifications
