Petrol-Diesel Price: CM ઠાકરેએ કહ્યુ - 'આપણે સચિન-વિરાટની સદી જોઈ, હવે પેટ્રોલ-ડીઝલની જોઈ રહ્યા છે'
ઈંધણની કિંમતો માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને તેમની સરકાર પર જોરદાર હુમલો કર્યો છે.
મુંબઈઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોએ જ્યાં સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવો કરી દીધો છે ત્યાં વિરોધી પક્ષ આ મુદ્દે સરકારને ઘેરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઈંધણની કિંમતો માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને તેમની સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે આપણે વિરાટ કોહલી-સચિન તેંડુલકરની સદી જોઈ છે પરંતુ હવે આપણે પેટ્રોલ-ડીઝલની સદી જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂકી છે. વળી, ઘણા શહેરોમાં ઈંધણની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચવામાં છે. લેટેસ્ટ સ્થિતિની વાત કરીએ તો આજે સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો શનિવારે થયો હતો. મુંબઈમાં પેટ્રોલ 97.57 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. ખાસ વાત એ છે કે દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તા દેશના ચાર મોટા શહેરોમાં સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં જ છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહી આ વાત
ઈંધણના વધતા ભાવો પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે ઈંધણના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણ છે. પહેલુ આંતરરાષ્ટ્રીય બજારે ઈંધણનુ ઉત્પાદન ઘટાડી દીધુ છે અને બીજુ વધુ લાભ મેળવવા માટે વિનિર્માણ દેશ ઓછા ઈંધણનુ ઉત્પાદન કરી રહ્યા છે. આનાથી ગ્રાહક દેશો ત્રસ્ત છે. વળી, તેમણે કહ્યુ કે અમે સતત સઉદી અરબે તેલ નિકાસ દેશોના સંગઠન(ઓપેક) અને રશિયા સહિત સહયોગી દેશ (ઓપેક પ્લસ)ને આગ્રહ કરી રહ્યા છે કે આવુ ન થવુ જોઈએ. અમને આશા છે કે ફેરફાર થશે.

કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મીડિયા ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે કોંગ્રેસની સરકારે ઓઈલ બાંડ્ઝ કોઈ બજેટરી સપોર્ટ વિના જાહેર કર્યા હતા અને તેની મોટી અસર કિંમતોમાં દેખાઈ રહી છે. ઓઈલ કંપનીઓને પોતાની કમાણીનો મોટો ભાગ ઓઈલ બાંડ્ઝનુ વ્યાજ આપવામાં જઈ રહ્યો છે અને તેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.

સોનિયા ગાંધીએ પણ લખ્યો હતો પીએમ મોદીને પત્ર
જ્યારે આ પહેલા પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં લખ્યુ હતુ કે હું તમને અનુરોધ કરુ છુ કે આ વધારો પાછો લો અને આપણા મધ્યમ અને વેતનભોગી વર્ગ, આપણા ખેડૂતો અને ગરીબો અને આપણા સાથી સૈનિકોને લાભ આપો. આ કિંમતો ઐતિહાસિક અને અવ્યવહારિક છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
