Petrol-Diesel Price: CM ઠાકરેએ કહ્યુ - 'આપણે સચિન-વિરાટની સદી જોઈ, હવે પેટ્રોલ-ડીઝલની જોઈ રહ્યા છે'

ઈંધણની કિંમતો માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને તેમની સરકાર પર જોરદાર હુમલો કર્યો છે.

મુંબઈઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોએ જ્યાં સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવો કરી દીધો છે ત્યાં વિરોધી પક્ષ આ મુદ્દે સરકારને ઘેરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઈંધણની કિંમતો માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને તેમની સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે આપણે વિરાટ કોહલી-સચિન તેંડુલકરની સદી જોઈ છે પરંતુ હવે આપણે પેટ્રોલ-ડીઝલની સદી જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂકી છે. વળી, ઘણા શહેરોમાં ઈંધણની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચવામાં છે. લેટેસ્ટ સ્થિતિની વાત કરીએ તો આજે સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો શનિવારે થયો હતો. મુંબઈમાં પેટ્રોલ 97.57 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. ખાસ વાત એ છે કે દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તા દેશના ચાર મોટા શહેરોમાં સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં જ છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહી આ વાત

ધર્મેન્દ્ર પ્રધાને કહી આ વાત

ઈંધણના વધતા ભાવો પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે ઈંધણના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણ છે. પહેલુ આંતરરાષ્ટ્રીય બજારે ઈંધણનુ ઉત્પાદન ઘટાડી દીધુ છે અને બીજુ વધુ લાભ મેળવવા માટે વિનિર્માણ દેશ ઓછા ઈંધણનુ ઉત્પાદન કરી રહ્યા છે. આનાથી ગ્રાહક દેશો ત્રસ્ત છે. વળી, તેમણે કહ્યુ કે અમે સતત સઉદી અરબે તેલ નિકાસ દેશોના સંગઠન(ઓપેક) અને રશિયા સહિત સહયોગી દેશ (ઓપેક પ્લસ)ને આગ્રહ કરી રહ્યા છે કે આવુ ન થવુ જોઈએ. અમને આશા છે કે ફેરફાર થશે.

કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મીડિયા ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે કોંગ્રેસની સરકારે ઓઈલ બાંડ્ઝ કોઈ બજેટરી સપોર્ટ વિના જાહેર કર્યા હતા અને તેની મોટી અસર કિંમતોમાં દેખાઈ રહી છે. ઓઈલ કંપનીઓને પોતાની કમાણીનો મોટો ભાગ ઓઈલ બાંડ્ઝનુ વ્યાજ આપવામાં જઈ રહ્યો છે અને તેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.

સોનિયા ગાંધીએ પણ લખ્યો હતો પીએમ મોદીને પત્ર

સોનિયા ગાંધીએ પણ લખ્યો હતો પીએમ મોદીને પત્ર

જ્યારે આ પહેલા પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં લખ્યુ હતુ કે હું તમને અનુરોધ કરુ છુ કે આ વધારો પાછો લો અને આપણા મધ્યમ અને વેતનભોગી વર્ગ, આપણા ખેડૂતો અને ગરીબો અને આપણા સાથી સૈનિકોને લાભ આપો. આ કિંમતો ઐતિહાસિક અને અવ્યવહારિક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X