Maharashtra Election 2024 : ચૂંટણી પહેલા શરદ પવારનો મોટો દાવ, આ પાર્ટીનો NCPમાં વિલય થશે
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા શરદ પવારની એનસીપીએ મોટો ધમાકો કર્યો છે. શરદ પવારની પાર્ટીનું આ પગલુ અજીત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે.
અહેવાલો આવી રહ્યાં છે કે શરદ પવારની એનસીપી સાથે મહારાષ્ટ્રની એક પાર્ટીનો વિલય થવા જઈ રહ્યો છે. આ વિલય શરદ પવારને વધારે તાકાતવર બનાવશે.

સમાચારો પર વિશ્વાસ કરીએ તો શરદ પવારની એનસીપી અને ભારત રાષ્ટ્ર સમિતી પાર્ટીનું વિલીનીકરણ થવા જઈ રહ્યું છે. બીઆરએસ પ્રવક્તા અંકુશ કાકડેએ આ વાતની પૃષ્ઠિ કરી છે.
6 ઓક્ટોબરે પુણેમાં નિસર્ગ મંગલ કાર્યાલય શરદ પવારની એનસીપી સાથે બીઆરએસનું ઔપચારિક વિલીનીકરણ થઈ જશે. આ વ્યૂહાત્મક પગલું રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા લેવામાં આવી રહ્યું છે.
આ વિલીનીકરણથી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર કરશે,. રાજ્યના સરહદી વિસ્તારોમાં એનસીપી માટે આ પગલુ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે.
તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવની પાર્ટીને NCP (SP) સાથે મર્જ કરવાનો નિર્ણય BRS મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સંયોજક બાળાસાહેબ દેશમુખ અને NCP નેતા શરદ પવાર વચ્ચેની ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.
તેલંગાણામાં BRSની હાર અને મહારાષ્ટ્રમાં તેના મર્યાદિત વિસ્તરણ પછી ચૂંટણી પહેલા BRSને પવારની પાર્ટી સાથે મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
