Maharashtra Election 2024 : શિવાજી પ્રતિમા વિવાદ બીજેપીને મહારાષ્ટ્ર હરાવશે? જાણો આ કેટલો મોટો મુદ્દો?
Maharashtra Assmly Elections 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી હારવા જઈ રહેલી બીજેપી માટે મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ સ્થિતી કપરી બની છે. શિવાજી પ્રતિમા વિવાદ મહાયુતિ માટે મોટી મુશ્કેલી લઈને આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા શિવાજી પ્રતિમા વિવાદ મોટો થઈ રહ્યો છે. મરાઠા નેતા સંભાજી રાજેએ આ મુદ્દે બીજેપીને ઘેરી છે.

સંભાજી રાજેએ સવાલ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 વર્ષ પહેલા જે પ્રતિમા માટે જળ પૂજન કર્યું હતું તે પ્રતિમા હજુ સુધી કેમ તૈયાર થઈ નથી?
સંભાજી રાજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ પહોંચ્યા હતા. અહીં પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે વાતચીત બાદ તેમને 50 સમર્થકો સાથે ગેટવે ઓફ ઈન્ડિયાના સ્થળે જવાની મંજૂરી આપવામાં આવી હતી.
સંભાજી રાજેએ આકરા પ્રહાર કર્યા અને બીજેપીને સવાલ કર્યો કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંનેમાં (ભાજપ) સરકાર છે, પરંતુ આ થયું નથી.
શિવ સ્મારક પ્રોજેક્ટમાં વિલંબને મુદ્દો બનાવીને મરાઠા નેતાઓ ચૂંટણીમાં મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સંભાજી રાજે કોલ્હાપુરના રાજવી પરિવારના છે અને મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.
સંભાજી રાજેના પિતા શાહુ છત્રપતિ કોલ્હાપુર બેઠકથી કોંગ્રેસ સાંસદ છે અને વિપક્ષ મહા વિકાસ અઘાડીના મોટા નેતા માનવામાં આવે છે. બે વર્ષ પહેલા સંભાજી રાજેએ સ્વરાજ્ય સંગઠન નામની સામાજિક સંસ્થા પણ બનાવી છે.
હવે તે વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સ્વરાજ્ય પક્ષમાં જોડાયા છે. તેમનું કહેવું છે કે 24 ડિસેમ્બર 2016ના રોજ પીએમ મોદીએ જળ પૂજન પ્રક્રિયા પૂરી કરી પરંતુ આજ સુધી શિવાજી મહારાજની પ્રતિમાની કોઈ આશા નથી.
આ પ્રતિમા અરબી સમુદ્રમાં એક કિલોમીટર દૂર ખડકાળ સપાટી પર બનાવવામાં આવવાની છે. અહીંથી મરીન ડ્રાઈવ પણ જોવા મળશે અને એક તરફ ઐતિહાસિક મલબાર હિલ્સ અને બીજી તરફ નરીમાન પોઈન્ટ જોવા મળશે. આ પ્રતિમા 309 ફૂટની હશે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ઉંચી હશે.












Click it and Unblock the Notifications
