Maharashtra Election Result 2024 : હરિયાણા ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રને કેટલી અસર કરશે? જાણો સમીકરણ
Maharashtra assembly election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલથી વિપરીત પરિણામો આવ્યા છે. અહીં બીજેપીની જીત અને કોંગ્રેસની હાર આગામી દિવસોમાં મહારાષ્ટ્રની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.
લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારેલી બીજેપી માટે આ જીત ઉત્સાહ ભરી શકે છે તો લોકસભામાં 99 સીટો જીતનારી કોંગ્રેસ માટે હતાશાનું કારણ પણ બની શકે છે.

જાણકારોનું માનીએ તો આનાથી BJP) મનોબળ વધવા સાથે મહાયુતિ ગઠબંધનમાં તેની તાકાત વધશે. તેનાથી વિપરિત લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં વધુ સારું પ્રદર્શન કરનાર કોંગ્રેસની સ્થિતિ મહા વિકાસ અઘાડીમાં નબળી પડી શકે છે.
હરિયાણામાં ભાજપે સત્તાની હેટ્રિક લગાવી છે તો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધને સરકાર બનાવી છે. મતદારોએ બંને જગ્યાએ વિજેતાઓને નિર્ણાયક લીડ આપતા મોટા ઉલટફેર જોવા મળ્યા છે.
આવનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો અહીં એક તરફ મહાયુતિની બીજેપી, શિવસેના એકનાથ શિંદે અને અજીત પવારની એનસીપી છે. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની એનસીપી છે.
હરિયાણાની ચૂંટણીએ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીના આત્મવિશ્વાસને તોડવાનું કામ કર્યુ છે. આની અસર આવનારી મહારાષ્ટ્રની ચૂંટણીમાં કેટલી પડશે તે તો સમય જ બતાવશે પરંતું કોંગ્રેસનું મનોબળ તુંટશે તેમાં કોઈ બે મત નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
