Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં બીજેપીને 148 માંથી 131 સીટો કેવી રીતે મળી? કોંગ્રેસેનો સવાલ
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ સતત સવાલ ઉઠાવી રહ્યું છે. ચૌકાવનારા પરિણામો પર ઘણા નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.
પરિણામો બાદ કોંગ્રેસે બીજેપીને મળેલી સીટો પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસે કહ્યું કે, લેવલ પ્લેઇંગ ફિલ્ડ સાથે છેડછાડ કરાઈ છે. આ ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા પેદા કરે છે.

કોંગ્રેસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યુ છે. ભાજપ અને તેના સહયોગી દળોએ વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે જોરદાર જીત મેળવી તે તપાસનો વિષય છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આવો માહોલ નહોતો, જેના કારણે નિષ્પક્ષ અને સંતુલિત હરીફાઈ શક્ય નહોતી. કોંગ્રેસે કહ્યું છે કે તે આ ચૂંટણી પરિણામનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાશે. પાર્ટી એ સમજવાનો પ્રયાસ કરશે કે ભાજપે 148માંથી 132 બેઠકો કેવી રીતે જીતી?
કોંગ્રેસે મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીના પરિણામોની વિધાનસભાના પરિણામો સાથે તુલના કરી અને કહ્યું કે ત્યાં ભાજપને હરાવ્યા બાદ વિધાનસભામાં આટલી મોટી જીત કેવી રીતે શક્ય છે? આ વિરોધાભાસ ચિંતાનો વિષય છે. આ એક વિચિત્ર પરિણામ છે.
જણાવી દઈએ કે, ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની જીત થઈ છે તો મહારાષ્ટ્રમાં એનડીએની મોટી જીત થઈ છે. અહીં કોંગ્રેસ અને સાથી પાર્ટીઓ માટે શરમજનક પરાજય થયો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
