Maharashtra Electon 2024 : ચૂંટણીની જાહેરાત પહેલા અજીત પવારને વધુ એક ઝટકો, રામરાજે નાઈક શરદ પવાર સાથે જોડાશે
Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના પક્ષ પલ્ટાના સમાચારો વધી રહ્યાં છે.
હવે અહેવાલો છે કે શરદ પવાર સાથે દગો કરનારા અજીત પવારની પાર્ટીના વધુ એક નેતા શરદ પવાર સાથે પાછા આવી શકે છે.

સમાચારો અનુસાર, અજિત પવારના નજીકના વિશ્વાસુ રામરાજે નાઈક નિમ્બાલકર નારાજ છે અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે.
અહેવાલો અનુસાર, નિમ્બાલકરે ફલટનમાં તેમના સમર્થકો સાથે બેઠક યોજી અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાવાનો સંકેત આપ્યો.
ફલટનમાં તેમણે સમર્થકોને પૂછ્યું કે, આપણું આગળનું પગલું શું હોવું જોઈએ? ભીડે શરદ પવારની NCP તરફ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે મંચ પરથી રણજીત સિંહ નાઈકની ટીકા કરી.
તેમણે કહ્યું કે, ગઈકાલે કેટલીક ન્યૂઝ ચેનલોએ મારો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું હું અજીત દાદાની છાવણી છોડી રહ્યો છું. મને ખબર નહોતી કે શું જવાબ આપવો. તેમણે કહ્યું કે આ અંગે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ રાજ્યભરમાં અફવાઓ ફેલાઈ રહી છે.
તેમણે શરદ પવાર અને અજિત પવાર બંને માટે આદર હોવાનું જણાવ્યું અને કહ્યું કે, હું શરદ પવારનું ખૂબ સન્માન કરું છું અને અજિતદાદા વિશે પણ એવું જ વિચારું છું. જો કે, ભારપૂર્વક જણાવ્યું કે તેમના સમર્થકો તેમના રાજકીય જીવનના કેન્દ્રમાં છે. જો તેઓ સુરક્ષિત નથી, તો કંઈ કામ નહીં કરે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
