For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈના નહિ પરંતુ દિલ્લીના ‘માતોશ્રી'થી ચાલશે ઉદ્ધવ ઠાકરે સરકારઃ ફડણવીસ

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. કોઈનુ નામ લીધા વિના દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર મુંબઈના 'માતોશ્રી' નહિ પરંતુ દિલ્લીના 'માતોશ્રી'થી ચાલશે. ફડણવીસે ગઠબંધનમાં સહયોગી કોંગ્રેસ નેતૃત્વની દખલ માટે આ કટાક્ષ કર્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના ઘરનુ નામ 'માતોશ્રી' છે.

બાલા સાહેબ રડી રહ્યા હશે

બાલા સાહેબ રડી રહ્યા હશે

ફડણવીસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર પણ કટાક્ષ કર્યો કે તેમણે પોતાના દિવંગત પિતા બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યુ હતુ કે તે શિવસૈનિકને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવશે. તેમણે કહ્યુ, ‘જો બાલા સાહેબ ઠાકરેને ખબર પડશે કે ચૂંટણી બાદ શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે જતી રહી છે તો તે સ્વર્ગમાં રડી રહ્યા હશે.' તેમણે શિવસેના પર જનાદેશની સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો. ફડણવીસે લોકોને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને આગામી પાલઘર જિલ્લા પરિષદ ચૂંટણીમાં આકરો જવાબ આપવાની અપીલ કરી.

ઠાકરેની સરકાર કેટલા દિવસ ચાલશે?

ઠાકરેની સરકાર કેટલા દિવસ ચાલશે?

ફડણવીસે કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે શિવસેનાએ હિંદુત્વના વિચારક વી ડી સાવરકરને અપશબ્દ કહેનારા સાથે સમજૂતી કરી છે. તેમણે પૂછ્યુ કે આંતરિક કલેશ વચ્ચે ઠાકરેની સરકાર કેટલા દિવસ ચાલશે? ફડણવીસે આરોપ લગાવ્યો કે શિવસેનાએ જનાદેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલુ જ નહિ પરંતુ ચૂંટણી પહેલાના સહયોગી ભાજપ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.

આ પણ વાંચોઃ આજથી CAA પર ભાજપનુ જનજાગરણ અભિયાન, જેપી નડ્ડા ગુજરાતથી કરશે શરૂઆતઆ પણ વાંચોઃ આજથી CAA પર ભાજપનુ જનજાગરણ અભિયાન, જેપી નડ્ડા ગુજરાતથી કરશે શરૂઆત

ભાજપ-શિવસેનાએ ગઠબંધનમાં લડી હતી ચૂંટણી

ભાજપ-શિવસેનાએ ગઠબંધનમાં લડી હતી ચૂંટણી

તમને જણાવી દઈએ કે બંને પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી ગઠબંધનમાં લડી હતી. તેમણે કહ્યુ કે ગયા વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેટલી સીટો પર ચૂંટણી લડી હતી તેમાંથી 70 ટકા સીટો પર જીત મેળવી અને સૌથી મોટી પાર્ટી બની. વળી, શિવસેનાએ જેટલી સીટો પર ચૂંટણી લડી તેમાંથી તે માત્ર 45 ટકા સીટો જ જીતી શકી.

English summary
Maharashtra government will control by matoshree of delhi not mumbai said devendra fadnavis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X