મહારાષ્ટ્રઃ ‘સામના'માં ભાજપ પર શિવસેનાએ જોરદાર ભડાશ કાઢી, વાંચો અહીં
શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં ભાજપ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વધતી તકરાર ખતમ થવાનુ નામ નથી લઈ રહી. જે રીતે રાજ્યમાં સરકાર બનાવવામાં બંને પક્ષો નિષ્ફળ રહ્યા અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ ત્યારબાદ બંને પક્ષો એકબીજા પર આનુ ઠીકરુ ફોડી રહ્યા છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ શિવસેનાએ ભાજપ પર હુમલો કરીને કહ્યુ કે આ સ્થિતિને ટાળી શકાતી હતી જો ભાજપ પોતાનુ વચન પૂરુ કરી લેતી. શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં ભાજપ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે.

જનતાના નિર્ણયનુ અપમાન
સામનામાં છપાયેલ સંપાદકીયમાં લખવામાં આવ્યુ છે કે રાજ્યની જનતાએ બંને પક્ષોનો સ્વીકાર કરીને મતદાન કર્યુ હતુ પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ તેના માટે તૈયાર નથી, એટલા માટે જ અમારે આ પગલુ ઉઠાવવુ પડ્યુ જેથી મહારાષ્ટ્રની માટીના ગર્વને બચાવી શકાય. સામનામાં રાષ્ટ્રપતિ શાસન માટે ભાજપને જવાબદાર ગણવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે આ સ્થિતિને ટાળી શકાતી હતી.

ભાજપે પોતાનુ વચન પૂરુ ન કર્યુ
ભાજપ પર નિશાન સાધતા લખવામાં આવ્યુ કે છેવટે કોઈ બીજાને કેમ આના માટે જવાબદાર ગણવામાં આવે, એવુ કહેવાય છે કે ભાજપ નૈતિકતા, પરંપરાવાળી પાર્ટી છે, એવામાં મહારાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં તેમણે આ જ પરંપરાઓનુ પાલન કરવુ જોઈએ. જો ભાજપે પોતાની પરંપરાઓનુ પાલન કર્યુ હોત અને પોતાનુ વચન પૂરુ કર્યુ હોત તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ના લાગતુ. એટલુ જ નહિ રાજ્યમાં જે કંઈ પણ થયુ છે તે શિવસેનાના સમ્માનને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યુ છે.

ભાજપે શિવસેના પર લગાવ્યો આરોપ
વળી, ભાજપ નેતા સુધીર મુંગટીવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટે શિવસેનાને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ કે આ જનતાના નિર્ણયનુ અપમાન છે. સાથે જ તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના રાજ્યપાલના નિર્ણયનુ સમર્થન કર્યુ છે. તેમણે કહ્યુ કે કોઈ પણ પક્ષ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકી નથી. જે લોકોએ દાવો કર્યો હતો કે તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા છે તે પોતાના સહયોગી પક્ષો પાસે સમર્થન પત્ર મેળવવામાં નિષ્ફળ રહ્યા. અમે પણ 24 કલાકનો વધુ સમય આપવાની માંગણી કરી હતી પરંતુ રાજ્યપાલે અમને વધુ સમય આપવાનો ઈનકાર કરી દીધો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
