Maharashtra New CM : બીજેપીએ એકનાથ શિંદેને કેવી રીતે CM પદ છોડવા મજબુર કર્યા? સામે આવી ગયુ કારણ
Maharashtra New CM : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે માટે ચૂંટણી જીતીને પણ સીએમ પદ છોડવાની નોબત આવી છે. બીજેપીએ તેમને સીએમ પદ છોડવા મજબુર કરી દીધા છે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો બીજેપીએ એકનાથ શિંદેને સીએમ પદ છોડવા મનાવ્યા નથી પણ મજબુર કર્યા છે. આમ કરવા પાછળ એકનાથ શિંદેનો દિકરો પણ એક કારણ છે.

એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદથી રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. તેમણે નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર છોડ્યો છે.
આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં બીજેપીના સીએમ બનશે. હવે સવાલ એ છે કે એકનાથ શિંદે બેકફૂટ પર આવી ગયા અને મુખ્યમંત્રી પદની જીદ છોડી દેવાનો નિર્ણય લીધો તો ચાર દિવસ સુધી શિવસેનાએ એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવા ડ્રામા કેમ કર્યો?
અહીં એક વાતે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે કે એકનાથ શિંદેએ સીએમ પદ છોડવા સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કર્યા છે. મહારાષ્ટ્ર તેમણે મહાયુતિ સરકાર અને તેમના સફળ સીએમ કાર્યકાળને પણ શ્રેય આપ્યો, આ સાથે ઉદ્ધવ ઠાકરેનું નામ લેતા એકનાથે કહ્યું કે અમે ઉદ્ધવ ઠાકરે નથી,. જો તેમને સીએમ પદ ન મળે તો છોડી દે.
એકનાથ શિંદેના બદલાયેલા સૂર અને સીએમ પદ છોડવાના આગ્રહનું કારણ તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે હોવાનું માનવામાં આવે છે. સૂત્રો અનુસાર, એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર કેબિનેટમાં તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા માંગ કરી હતી.
અહેવાલો અનુસાર, શિંદે તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ પૂરી થાય તો પોતે બહાર રહેવા તૈયાર હતા. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શિંદેની આ માંગને ભાજપના ટોચના નેતૃત્વએ સ્વીકારી લીધી છે. આ જ કારણ છે કે શિંદે રેસમાંથી ખસી ગયા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
