Maharashtra New CM : બીજેપીએ એકનાથ શિંદેને કેવી રીતે CM પદ છોડવા મજબુર કર્યા? સામે આવી ગયુ કારણ
Maharashtra New CM : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે માટે ચૂંટણી જીતીને પણ સીએમ પદ છોડવાની નોબત આવી છે. બીજેપીએ તેમને સીએમ પદ છોડવા મજબુર કરી દીધા છે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો બીજેપીએ એકનાથ શિંદેને સીએમ પદ છોડવા મનાવ્યા નથી પણ મજબુર કર્યા છે. આમ કરવા પાછળ એકનાથ શિંદેનો દિકરો પણ એક કારણ છે.

એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદથી રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. તેમણે નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર છોડ્યો છે.
આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં બીજેપીના સીએમ બનશે. હવે સવાલ એ છે કે એકનાથ શિંદે બેકફૂટ પર આવી ગયા અને મુખ્યમંત્રી પદની જીદ છોડી દેવાનો નિર્ણય લીધો તો ચાર દિવસ સુધી શિવસેનાએ એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવા ડ્રામા કેમ કર્યો?
અહીં એક વાતે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે કે એકનાથ શિંદેએ સીએમ પદ છોડવા સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કર્યા છે. મહારાષ્ટ્ર તેમણે મહાયુતિ સરકાર અને તેમના સફળ સીએમ કાર્યકાળને પણ શ્રેય આપ્યો, આ સાથે ઉદ્ધવ ઠાકરેનું નામ લેતા એકનાથે કહ્યું કે અમે ઉદ્ધવ ઠાકરે નથી,. જો તેમને સીએમ પદ ન મળે તો છોડી દે.
એકનાથ શિંદેના બદલાયેલા સૂર અને સીએમ પદ છોડવાના આગ્રહનું કારણ તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે હોવાનું માનવામાં આવે છે. સૂત્રો અનુસાર, એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર કેબિનેટમાં તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા માંગ કરી હતી.
અહેવાલો અનુસાર, શિંદે તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ પૂરી થાય તો પોતે બહાર રહેવા તૈયાર હતા. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શિંદેની આ માંગને ભાજપના ટોચના નેતૃત્વએ સ્વીકારી લીધી છે. આ જ કારણ છે કે શિંદે રેસમાંથી ખસી ગયા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
