maharashtra new cm : 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી શપથ લઈ શકે છે, જાણો કોને મળી શકે છે તાજ?

maharashtra new cm : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો વચ્ચે શપથગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો નવી સરકાર 5 ડિસેમ્બરે શપથ લઈ શકે છે.

પરિણામ આવ્યાને એક અઠવાડિયાનો સમય વિતવા છતા નવા મુખ્યમંત્રીની જાહેરાતનું કોકડુ ગુચવાયુ છે. મહાયુતિ વચ્ચે સતત તેને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

maharashtra new cm

આ ચર્ચા વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે મહારાષ્ટ્રની નવી સરકારની રચના અને મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાઈ શકે છે.

જો કે આગામી મુખ્યમંત્રીનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ શિવસેનાના નેતા સંજય શિરસાટે સંકેત આપ્યા છે કે સસ્પેન્સ જલ્દી સમાપ્ત થઈ શકે છે. સંજય શિરસાટેના સંકેતો અનુસાર, એકનાથ શિંદે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

જણાવી દઈએ કે, શુક્રવારે મહાયુતિની બેઠક યોજાવાની હતી પરંતુ એકનાથ શિંદે અચાનક સતારા રવાના થઈ ગયા. આ પછી શિંદેની નારાજગીની અટકળો શરૂ થઈ. જો કે, શિવસેનાના ઉદય સામંતેએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યુુ અને કહ્યું કે શિંદે નાદુરસ્ત તબિયતને કારણે સતારા ગયા છે.

જો કે સત્ય એ છે કે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા તેઓ વારંવાર તેમના વતન ગામની મુલાકાત લે છે. સંજય શિરસાટે પણ આવું જ નિવેદન આપ્યું છે, હવે એ નિશ્ચિત છે કે શિંદે આજે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X