Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra Political crisis : SC સામે કોશ્યારીની હોશિયારી, કહ્યું - તો મારે શું એમ કહેવું જોઇતું હતું કે...

Maharashtra Political crisis : મહારાષ્ટ્ર રાજનૈતિક સંકટ અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ પોતાના નિર્ણયમાં શિંદે સરકારને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, મહારાષ્ટ્રના તત્કાલિન રાજ્યપાલે કાયદાની વિરુદ્ધમાં કાર્ય કર્યું હતું. જેનો જવાબ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું કે, હું માત્ર સંસદીય અને વિધાયક પરંપરાને જાણું છું અને તે મુજબ મેં જે પગલાં લીધાં તેના પર વિચાર કરવામાં આવ્યો. રાજીનામું મારી પાસે આવ્યું ત્યારે હું શું એમ કહેતો કે, રાજીનામું ના આપો.

Maharashtra Political crisis

આ અગાઉ સુપ્રીમના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણીઓ થઈ હતી, ત્યારે નૈતિકતા વિશે વાત કરવી વધુ સારું હતું. પછી જનતાનો નિર્ણય જોઈને નૈતિકતાની વાત કરી હોત તો ભાજપ-શિવસેનાની સરકાર બની હોત, પણ ખુરશી મેળવવાનો નિર્ણય લીધો હતો.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, બીજી તરફ ઉદ્ધવના રાજીનામા પર એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, તમે (ઉદ્ધવ ઠાકરે) રાજીનામું આપી દીધું છે. તમારી પાસે લઘુમતી હતી, કેટલા લોકો બાકી હતા? તેઓ જાણતા હતા કે, તેમની હાર થશે અને પછી રાજ્યપાલે યોગ્ય નિર્ણય લીધો, અમે શિવસેના અને બાલાસાહેબની વિચારધારાને બચાવવાનું કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અમે એકનાથ શિંદે સરકારને અયોગ્ય ઠેરવી શકીએ નહીં. અમે જૂની સરકારને પણ પુનઃસ્થાપિત કરી શકતા નથી. કારણ કે ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો પણ કર્યો ન હતો. તેમણે પોતે રાજીનામું આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું દેશદ્રોહી સાથે સરકાર કેવી રીતે ચલાવીશ. શિંદે સરકારમાં નૈતિકતા નથી, નહીંતર આજે તેમણે રાજીનામું આપી દીધું હોત. જેના જવાબમાં ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતુ કે, નૈતિકતાની વાત કરવી ઉદ્ધવ ઠાકરેને શોભે નથી. હું તેમને પૂછું છું કે, જ્યારે તેઓ ભાજપ સાથે ચૂંટાયા અને કોંગ્રેસ અને એનસીપી સાથે મુખ્યપ્રધાન બન્યા, ત્યારે તેમણે નૈતિકતાને કયા ડબ્બામાં મૂકી દીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X