હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ એક્શનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ઉદ્ધવ સરકાર પાસે 3 દિવસનો માંગ્યો હિસાબ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ એક્શનમાં આવી ગયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ એક્શનમાં આવી ગયા છે. વાસ્તવમાં, ભગસિંહ કોશ્યારી કોરોના સંક્રમિત થવાના કારણે હૉસ્પિટલમાં ભરતી હતા પરંતુ હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કોશ્યારીએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી ત્રણ દિવસની ફાઈલોનો હિસાબ માંગ્યો છે. મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય સંકટ ચાલી રહ્યુ છે તેમાં રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના કારણે પાર્ટીમાં ભાગલા પડી ગયા છે. જેના કારણે મહાવિકાસ અઘાડીની સરકાર મુશ્કેલીમાં છે.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યના મુખ્ય સચિવ સંતોષ કુમારને 22 અને 24 જૂન વચ્ચે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને દરખાસ્તો વિશે માહિતગાર કર્યા હતા. નોંધનીય છે કે ત્રણ દિવસમાં 160 સરકારી પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યા છે. આ દરખાસ્તો કરોડો રૂપિયાની છે. આ અંગે રાજ્યપાલે મહાવિકાસ આઘાડીની સરકાર પાસે જવાબ માંગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર સરકાર જે રીતે ઉતાવળા નિર્ણયો લઈ રહી છે તેની સામે પ્રવીણ દરેકરે રાજ્યપાલને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે તેઓ આ નિર્ણયોમાં દરમિયાનગીરી કરે.
જો શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરે તો રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સરકાર બનાવવાનો કે વિસર્જન કરવાનો દાવો રાજ્યપાલને આપવાનો છે. તેથી હવે સહુની નજર રાજભવન પર પણ રહેશે. નોંધનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર શિવસેના ધારાસભ્ય આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના આ બળવાખોર ધારાસભ્યો અહીંથી પોતાની રણનીતિ બનાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટિસ જાહેર કરી હતી. આ ધારાસભ્યોને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. જેની સામે આ બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યુ હતુ કે ડેપ્યુટી સ્પીકરને આ નોટિસ આપવાનો અધિકાર નથી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ બળવાખોર ધારાસભ્યોને 12 જુલાઈ સુધી જવાબ આપવા માટે સમય આપ્યો છે. વળી, કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવા સામે અગાઉથી ચુકાદો આપવાનો ઇનકાર કર્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
