'આજે ગાંધીજીના લોહીના નમૂનાની થશે હરાજી'

મળતી માહિતી મુજબ બ્રિટેનના શ્રોફશાયરમાં થનારી આ હરાજીમાં બાપૂના લોહીના નમૂનાની ઓછામાં ઓછી કિંમત 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. લોહીના જે નમૂનાની હરાજી થવાની છે તે 1924માં મહાત્મા ગાંધીના શરીરમાંથી લેવામાં આવ્યાં હતા. તે સમયે મહાત્મા ગાંધી મુંબઇની હોસ્પિટલમાં અપેંડિક્સની સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યાં હતા અને તેમનું ઓપરેશન થયું હતું. ઓપરેશન પહેલાં તેમના શરીરની તપાસ માટે લોહી નિકાળવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હરાજીનું આયોજન યૂરોપની જાણીતી હરાજી કરનાર સંસ્થા મુલોક્સ કરી રહી છે. આ હરાજીમાં મુકવામાં આવેલી વસ્તુઓ 1920ની આસપાસની છે જેનો મહાત્મા ગાંધી સંબંધ રહ્યો છે. તે દરમિયાન ગાંધીજી મુંબઇના જૂહૂમાં રહેતાં હતા. મોહંમદ અલી જિન્નાએ પણ અહીંયા ગાંધીજી સાથે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
