મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે SCમાં અરજી, કોર્ટે કહ્યુ, તેઓ એનાથી પણ પરે
સુપ્રીમ કોર્ટમાં મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટમાં મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યુ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે અને તે આવા કોઈ પણ ઔપચારિક સમ્માનથી ઘણા મોટા છે. કોર્ટે અરજીકર્તાને કહ્યુ કે તે આ મુદ્દાને કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવી શકે છે પરંતુ કોર્ટે ખુદ આ મામલે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.
મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન કહ્યુ કે મહાત્મા ગાંધી માટે ભારત રત્ન શું છે તે આ સમ્માનથી ઘણા મોટા છે. અમે પણ ઈચ્છીએ છીએ કે તેમને સમ્માન મળે પરંતુ દેશના લોકો તેમને આવા કોઈ પણ સમ્માનથી ઘણા વધુ માને છે. તમને જણાવી દઈએ કે ભારત રત્ન દેશનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન હોય છે. આ સમ્માન કોઈ પણ વ્યક્તિને દેશમાં સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવે છે. આની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય કરે છે, ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવે છે.
Supreme Court, while declining to pass any order in the PIL, said that Mahatma Gandhi is much higher than Bharat Ratna. https://t.co/0Fs4nY9DPk
— ANI (@ANI) 17 January 2020
ઉલ્લેખનીય છે કે ભારત રત્ન વર્ષ 1954થી આપવામાં આવતો રહ્યો છે અને અત્યાર સુધી 48 નાગરિકોને આપવામાં આવી ચૂક્યો છે. ભારત સરકારે ગયા વર્ષે ત્રણ હસ્તીઓ ભારત રત્નના સમ્માનથી નવાજ્યા છે. ગયા વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગીતકાર ભૂપેન હજારિકા અને સમાજસેવી નાનાજી દેશમુખને ભારત રત્ન આપવામાં આવ્યુ હતુ. માહિતી માટે જણાવી દઈએ કે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનો દરજ્જો મળેલો છે. તેમનુ માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં સમ્માન કરવામાં આવે છે. તેમણે આઝાદી માટે ચલાવેલા આંદોલનોમાં દેશની જનતાને જોડવાનુ કામ કર્યુ હતુ. મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યુઆરી, 1948ના રોજ ગોળી મારીને કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિ કોવિંદે ફગાવી દોષી મુકેશની દયા અરજી