સરકારની સર્જરી: સાત રાજીનામા મંજૂર, 10 નવા ચહેરા જોવા મળશે

મંત્રીમંડળીય ફેરબદલ પહેલાં કેબિનેટમંત્રીઓમાં એસ.એમ. કૃષ્ણા (વિદેશ મંત્રી), અંબિકા સોની (સૂચના પ્રસારણ મંત્રી), મુકુલ વાસનિક (સામાજિક ન્યાય), સુબોધ કાંત સહાય (પર્યટન મંત્રી) રાજ્ય મંત્રી મહાદેવ ખંડેલા (આદિવાસી મામલે), રાજ્ય મંત્રી અગાથા સંગમા (ગ્રામીણ વિકાસ મંત્રી), રાજ્ય મંત્રી વિંસેંટ પાલા (જળ સંશાધન અને અલ્પસંખ્યક)એ રાજીનામા આપ્યાં છે. તેમનું કહેવું છે કે તે હવે પાર્ટી માટે કામ કરશે. એસ.એમ. કૃષ્ણાને સહિત બધાએ પોતાના રાજીનામા વડાપ્રધાન મનમોહન સિંહને આપ્યાં હતા.
શરૂઆતમાં અનુમાન લગાવવામાં આવતું હતું કે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે પરંતુ હવે એવા અણસાર જોવા મળતા નથી. તેમને પાર્ટીમાં મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે અને શક્યતા છે કે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. આનંદ શર્માને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયથી દૂર કરવામાં આવે તેવી શક્યતા છે અને એસ.એમ. કૃષ્ણાની જગ્યાએ વિદેશ મંત્રાલય સોંપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. યૂપીએ-1 સરકારમાં તે વિદેશ મંત્રાલયમાં હતા.
આનંઅદ શર્માનું વાણિજ્ય મંત્રાલય ડી. પુરંદેશ્વરીને મળવાની શક્યતા છે અને જે દિવંગત એન.ટી. રામાવતની પુત્રી છે. તે માનવ સંશાધન મંત્રાલયમાં સાલ વર્ષ સુધી રહી છે. જે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે તેમાં ચિંરજીવી (આંધ્ર પ્રદેશ), એ એચ ખાન ચૌધરી, પ્રદીપ ભટ્ટાચાર્ય અને દીપા દાસમુંશી (પશ્વિમ બંગાળ) તારીક અનવર (મહારાષ્ટ્ર), પ્રદિપ બાલમુચૂ (ઝારખંડ) અને પ્રદીપ માઝી (ઓરિસ્સા)નો સમાવેશ થાય છે. પુરંદેશ્વરી સિવાય અજય માકનને પણ કેબિનેટમંત્રી બનાવવામાં આવી શકે છે.
જે રાજ્યમંત્રીઓને બઢતી મળી શકે છે તેમાં સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિઘિંયા અને મિલિન્દ દેવડાનો સમાવેશ થાય છે. માકનને સૂચના પ્રસારણ મંત્રાલય મળી શકે છે. શહેરી વિકાસ મંત્રી કમલનાથને સંસદીય કાર્ય મંત્રાલયનો બોજો સોંપવામાં આવી શકે છે. હાલમાં આ મંત્રાલય પવન કુમાર બંસલ પાસે છે. અન્ય એક એનસીપી સાંસદને કૃષિ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવી શકાય છે. હાલમાં કૃષિ મંત્રી શરદ પવાર છે, જે એનસીપી પ્રમુખ છે.
મંત્રીમંડળીય ફેરબદલ સિવાય કોંગ્રેસમાં સંગઠનમાં પણ પરિવર્તન થઇ શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજીનામું આપ્યા બાદ અંબિકા સોની, મુકુલ વાસનિક અને સુબિધકાંત સહાયે કહ્યું હતું કે તે પાર્ટી માટે કામ કરશે. અંબિકા સોની કેટલાક વર્ષો સુધી કોંગ્રેસ મહાસચિવ રહી ચૂક્યાં છે. તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની રાજકીત સચિવ પણ હતી. વાસનિક કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ મહાસચિવ એમ બંને જવાબદારી સંભાળી રહ્યાં હતા. તેમના પર આરોપો લગાવવામાં આવ્યાં હતાં કે તેમને ઝારખંડની એક કંપનીને કોલસા વિતરણમાં લાગવગ કરી હતી. આ કંપનીમાં તેમના ભાઇ નિર્દેશક છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
