સરકારની સર્જરી: સાત રાજીનામા મંજૂર, 10 નવા ચહેરા જોવા મળશે

મંત્રીમંડળીય ફેરબદલ પહેલાં કેબિનેટમંત્રીઓમાં એસ.એમ. કૃષ્ણા (વિદેશ મંત્રી), અંબિકા સોની (સૂચના પ્રસારણ મંત્રી), મુકુલ વાસનિક (સામાજિક ન્યાય), સુબોધ કાંત સહાય (પર્યટન મંત્રી) રાજ્ય મંત્રી મહાદેવ ખંડેલા (આદિવાસી મામલે), રાજ્ય મંત્રી અગાથા સંગમા (ગ્રામીણ વિકાસ મંત્રી), રાજ્ય મંત્રી વિંસેંટ પાલા (જળ સંશાધન અને અલ્પસંખ્યક)એ રાજીનામા આપ્યાં છે. તેમનું કહેવું છે કે તે હવે પાર્ટી માટે કામ કરશે. એસ.એમ. કૃષ્ણાને સહિત બધાએ પોતાના રાજીનામા વડાપ્રધાન મનમોહન સિંહને આપ્યાં હતા.
શરૂઆતમાં અનુમાન લગાવવામાં આવતું હતું કે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે પરંતુ હવે એવા અણસાર જોવા મળતા નથી. તેમને પાર્ટીમાં મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે અને શક્યતા છે કે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. આનંદ શર્માને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયથી દૂર કરવામાં આવે તેવી શક્યતા છે અને એસ.એમ. કૃષ્ણાની જગ્યાએ વિદેશ મંત્રાલય સોંપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. યૂપીએ-1 સરકારમાં તે વિદેશ મંત્રાલયમાં હતા.
આનંઅદ શર્માનું વાણિજ્ય મંત્રાલય ડી. પુરંદેશ્વરીને મળવાની શક્યતા છે અને જે દિવંગત એન.ટી. રામાવતની પુત્રી છે. તે માનવ સંશાધન મંત્રાલયમાં સાલ વર્ષ સુધી રહી છે. જે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે તેમાં ચિંરજીવી (આંધ્ર પ્રદેશ), એ એચ ખાન ચૌધરી, પ્રદીપ ભટ્ટાચાર્ય અને દીપા દાસમુંશી (પશ્વિમ બંગાળ) તારીક અનવર (મહારાષ્ટ્ર), પ્રદિપ બાલમુચૂ (ઝારખંડ) અને પ્રદીપ માઝી (ઓરિસ્સા)નો સમાવેશ થાય છે. પુરંદેશ્વરી સિવાય અજય માકનને પણ કેબિનેટમંત્રી બનાવવામાં આવી શકે છે.
જે રાજ્યમંત્રીઓને બઢતી મળી શકે છે તેમાં સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિઘિંયા અને મિલિન્દ દેવડાનો સમાવેશ થાય છે. માકનને સૂચના પ્રસારણ મંત્રાલય મળી શકે છે. શહેરી વિકાસ મંત્રી કમલનાથને સંસદીય કાર્ય મંત્રાલયનો બોજો સોંપવામાં આવી શકે છે. હાલમાં આ મંત્રાલય પવન કુમાર બંસલ પાસે છે. અન્ય એક એનસીપી સાંસદને કૃષિ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવી શકાય છે. હાલમાં કૃષિ મંત્રી શરદ પવાર છે, જે એનસીપી પ્રમુખ છે.
મંત્રીમંડળીય ફેરબદલ સિવાય કોંગ્રેસમાં સંગઠનમાં પણ પરિવર્તન થઇ શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજીનામું આપ્યા બાદ અંબિકા સોની, મુકુલ વાસનિક અને સુબિધકાંત સહાયે કહ્યું હતું કે તે પાર્ટી માટે કામ કરશે. અંબિકા સોની કેટલાક વર્ષો સુધી કોંગ્રેસ મહાસચિવ રહી ચૂક્યાં છે. તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની રાજકીત સચિવ પણ હતી. વાસનિક કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ મહાસચિવ એમ બંને જવાબદારી સંભાળી રહ્યાં હતા. તેમના પર આરોપો લગાવવામાં આવ્યાં હતાં કે તેમને ઝારખંડની એક કંપનીને કોલસા વિતરણમાં લાગવગ કરી હતી. આ કંપનીમાં તેમના ભાઇ નિર્દેશક છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
