પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટા ફેરફાર, 16 અધિકારીઓની બદલી કરાઈ
પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટા પાયે બદલી કરાઈ છે. સરકારે 16 અધિકારી-કર્મચારીઓની બદલી કરાઈ હતી.
નવી દિલ્હી : પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલયમાં મોટા ફેરફાર કર્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલયના 16 કર્મચારીઓની બદલી કરાઈ છે. આમાં અધિકારીઓ પણ સામેલ છે.

મળી રહેલી વિગતો અનુસાર બદલી કરાયેલા અધિકારીઓમાં નાયબ સચિવ ગુરીન્દ્ર સિંહ, અન્ડર સેક્રેટરી પુરષોતમ કુમાર, અધિક્ષક અજય કુમાર, અધિક્ષક જનક સિંહ, જસબીર સિંહ અધિક્ષક, તોરીશ મીનલ ઉપ્પલ સિનિયર આસિસ્ટન્ટ, બાબુ રામ સિનિયર આસિસ્ટન્ટ, સુખવિંદર સિંઘ સિનિયર આસિસ્ટન્ટ, સુનીતા ગુલેરિયા સિનિયર આસિસ્ટન્ટ અને વિનોદ કુમારને સચિવાયલમાં અન્ય વિભાગોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સિવાય જગપાલ સિંહ અન્ડર સેક્રેટરી, તેજપાલ સિંહ અન્ડર સેક્રેટરી, જોંગગદ્ર કુમાર અધિક્ષક, મનોજ કુમાર અધિક્ષક વગેરેની બદલી કરવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ સરકાર સતત સરકારના કામકાજમાં ફેરફાર કરી રહી છે. સરકાર સતત અધિકારીઓની બદલી પણ કરી રહી છે.












Click it and Unblock the Notifications
