For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસમાં મોટો વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 33,750 કેસ, 123 લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે અહીં દરરોજ 20 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 33,750 નવા કેસ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે અહીં દરરોજ 20 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 33,750 નવા કેસ નોંધાયા છે. આ સાથે 123 મૃત્યુ થયા હતા. આ ઉપરાંત સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ સંખ્યા વધીને 1,45,582 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે રવિવારના રોજ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ આપી છે. છેલ્લા 24 કલાકમાં 10,846 લોકો સાજા થયા છે. આ સિવાય અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોનો કુલ આંકડો 3,42,95,407 પર પહોંચી ગયો છે. આ સાથે જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા જોઈએ, તો તે 4,81,893 થઈ ગઈ છે. જો કે, આ સત્તાવાર આંકડા છે અને મીડિયા અહેવાલો અનુસાર દેશમાં મૃત્યુઆંક આનાથી વધી ગયા છે.

દિલ્હી-મુંબઈ અને કોલકાતાની હાલત ખરાબ

દિલ્હી-મુંબઈ અને કોલકાતાની હાલત ખરાબ

દેશમાં દિલ્હી-મુંબઈ બાદ રવિવારના રોજ કોલકાતામાં 3 હજારથી વધુ નવા કોરોના કેસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર દેશનીરાજધાની દિલ્હીમાં રવિવારના રોજ પોઝિટિવિટી રેટ વધીને 4.59 ટકા થઈ ગયો છે. જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3,194 કેસ નોંધાયા છે.

આ અગાઉશનિવારના રોજ દિલ્હી કોરોનાના 2,716 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં હવે 8,397 એક્ટિવ કેસ છે.

રસીકરણ : અત્યાર સુધીમાં કેટલા ડોઝ અપાયા?

રસીકરણ : અત્યાર સુધીમાં કેટલા ડોઝ અપાયા?

દેશમાં દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ રસીકરણ 1,45,68,89,306 પર પહોંચી ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટઅનુસાર, રવિવારના રોજ દેશભરમાં 23,30,706 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. રાજ્યોના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ રસીઓ યુપીમાં છે.

આ દેશનુંસૌથી મોટું રાજ્ય છે, જ્યાં લોકોને કુલ 20,25,88,335 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 12,84,94,516 પ્રથમ ડોઝ અને 7,40,93,819 બીજો ડોઝ છે.

આજથી બાળકોને રસી આપવામાં આવશે

આજથી બાળકોને રસી આપવામાં આવશે

એક સારા સમાચાર એ પણ છે કે, 15 થી 18 વર્ષની વયજૂથના લગભગ 10 કરોડ બાળકોનું રસીકરણ આજે એટલે કે સોમવારથી શરૂ થશે.

એક ડોક્ટરે જણાવ્યું કે,આજથી 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. આવા સમયે કોવિન પોર્ટલ અનુસાર રવિવાર રાત સુધી 7.90 લાખ બાળકોએ નોંધણી કરાવી છે.

English summary
Major increase in Corona cases, 33,750 cases reported in last 24 hours, 123 deaths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X