Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Makar Sankranti: મકર સંક્રાંતિની દેશભરમાં ધૂમ, શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી

Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જો કે મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે 2024માં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, સોમવારે ઉજવવામાં આવશે.

આ દિવસે સ્નાન, દાન અને સૂર્યની ઉપાસનાનું ઘણું મહત્વ છે. મકરસંક્રાંતિના અવસર પર દેશભરના ભક્તો ગંગા અથવા અન્ય નદીઓમાં શ્રદ્ધાથી પવિત્ર સ્નાન કરે છે. ઘણા લોકો પરંપરા મુજબ દાન પણ કરી રહ્યા છે. મકરસંક્રાંતિના અવસર પર આ કડકડતી ઠંડીમાં વારાણસીના ગંગા ઘાટ પર ભક્તોની ભીડ જોવા મળી હતી.

Makar Sankranti

ઘણા લોકો અહીં ગંગામાં પવિત્ર સ્નાન કરવા આવ્યા છે. વારાણસી ઉપરાંત પ્રયાગરાજ, હરિદ્વાર, ઋષિકેશ, પટનામાં પણ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવામાં આવી છે. આ ઉપરાંત આજે દેશભરની પવિત્ર નદીઓમાં શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક સ્નાન કરી રહ્યા છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારવાનું અનેરું મહત્વ છે.

મકરસંક્રાંતિ પર દાન અને દક્ષિણાનું પણ વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી જ દાન કરવાની પરંપરા છે. દાન ત્યારે જ પુણ્ય ગણાય છે જ્યારે તે યોગ્ય સમયે અને પદ્ધતિથી કરવામાં આવે. માત્ર માહ પુણ્યકાળમાં દરમિયાન દાન કરવું શ્રેષ્ઠ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X