તબરેજની હત્યાના વિરોધમાં માલેગાંવમાં ભેગા થયા એક લાખ મુસ્લિમ, એન્ટી મોબ લિંચિંગ કાયદાની માંગ
મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા.
ઝારખંડમાં એક મુસ્લિમ યુવક તબરેજ અનસારીને ચોરીની શંકામાં ભીડે વિજળીના પોલ સાથે બાંધીને એ રીતે પીટવામાં આવ્યો હતો કે તેનું હોસ્પિટલમાં જ ઈલાજ દરમિયાન મોત થઈ ગયુ હતુ. આ ઘટના બાદ દેશભરમાં ફરીથી એક વાર મોબ લિંચિંગ સામે અવાજો ઉઠવા લાગ્યા છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા. સોમવારે 'શહીદોની યાદગાર' (શહીદ સ્મારક) પર એક લાખથી વધુ મુસ્લિમો મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં જમા થયા.

તબરેજની હત્યાના વિરોધમાં એક લાખ મુસ્લિમોએ કર્યુ પ્રદર્શન
આ એ જ જગ્યા છે જ્યાં અંગ્રેજોએ 97 વર્ષ પહેલા 7 સ્વતંત્રતા સેનાનિઓને ફાંસી પર લટકાવી દીધા હતા. આ જગ્યાએ લગભગ એક લાખથી વધુ મુસ્લિમ જમા થયા હતા. લિંચિંગના વિરોધમાં થયેલી આ રેલીને મુસ્લિમ સમાજે પહેલી રેલી ગણાવી. આ રેલીના આયોજકોનું કહેવુ છે કે ઝારખંડમાં થયેલી તબરેજ અંસારીની હત્યા ઘણી ભયાનક છે.

એંટી મોબ લિંચિંગ કાયદો લાવવાની માંગ
આ રેલીમાં આવેલા લોકોએ કહ્યુ કે તે બદલો નથી ઈચ્છતા અને ના કોઈ પ્રકારની હિંસામાં વિશ્વાસ કરે છે. લોકોએ કહ્યુ કે તે કાયદામાં વિશ્વાસ રાખે છે. તેમણે મોબ લિંચિંગ સામે કડક કાયદો લાવવાની માંગ કરી. તમને જણાવી દઈએ કે તબરેજને ભીડે ત્યારે નિશાન બનાવી હતી જ્યારે તે જમશેદપુરથી પોતાના ગામ પાછો આવી રહ્યો હતો.

ભીડે ચોરીની શંકામાં તબરેજની કરી હતી પિટાઈ
તે વખતે તબરેજને ઘાતકીડીહ ગામ પાસે ભીડે ચોરીની શંકામાં પકડી લીધો. ચોરીનો આરોપ લગાવીને ભીડે તબરેજ અંસારીને થાંભલા સાથે બાંધી દીધો અને ખરાબ રીતે પીટવાનો શરૂ કરી દીધો. પોલિસને સોંપતા પહેલા તેને લગભગ 18 કલાક સુધી લાઠી-ડંડાથી પીટવામાં આવ્યો. આરોપ છે કે આ દરમિયાન તબરેજને ભીડે જય શ્રીરામ અને જય હનુમાનના નારા લગાવવા માટે કહ્યુ અને આમ ન કરવા પર તેની જોરદાર પિટાઈ કરી. બાદમાં અંસારીની ચોરીના આરોપમાં પોલિસે ધરપકડ કરી લીધી હતી. વળી, ઘટનાના ચાર દિવસ બાદ પરવેઝ અંસારીની હોસ્પિટલમાં મોત થઈ ગયુ હતુ. આ કેસમાં બે પોલિસવાળાને સસ્પેન્ડ કરી દીધા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
