તબરેજની હત્યાના વિરોધમાં માલેગાંવમાં ભેગા થયા એક લાખ મુસ્લિમ, એન્ટી મોબ લિંચિંગ કાયદાની માંગ
મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા.
ઝારખંડમાં એક મુસ્લિમ યુવક તબરેજ અનસારીને ચોરીની શંકામાં ભીડે વિજળીના પોલ સાથે બાંધીને એ રીતે પીટવામાં આવ્યો હતો કે તેનું હોસ્પિટલમાં જ ઈલાજ દરમિયાન મોત થઈ ગયુ હતુ. આ ઘટના બાદ દેશભરમાં ફરીથી એક વાર મોબ લિંચિંગ સામે અવાજો ઉઠવા લાગ્યા છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા. સોમવારે 'શહીદોની યાદગાર' (શહીદ સ્મારક) પર એક લાખથી વધુ મુસ્લિમો મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં જમા થયા.

તબરેજની હત્યાના વિરોધમાં એક લાખ મુસ્લિમોએ કર્યુ પ્રદર્શન
આ એ જ જગ્યા છે જ્યાં અંગ્રેજોએ 97 વર્ષ પહેલા 7 સ્વતંત્રતા સેનાનિઓને ફાંસી પર લટકાવી દીધા હતા. આ જગ્યાએ લગભગ એક લાખથી વધુ મુસ્લિમ જમા થયા હતા. લિંચિંગના વિરોધમાં થયેલી આ રેલીને મુસ્લિમ સમાજે પહેલી રેલી ગણાવી. આ રેલીના આયોજકોનું કહેવુ છે કે ઝારખંડમાં થયેલી તબરેજ અંસારીની હત્યા ઘણી ભયાનક છે.

એંટી મોબ લિંચિંગ કાયદો લાવવાની માંગ
આ રેલીમાં આવેલા લોકોએ કહ્યુ કે તે બદલો નથી ઈચ્છતા અને ના કોઈ પ્રકારની હિંસામાં વિશ્વાસ કરે છે. લોકોએ કહ્યુ કે તે કાયદામાં વિશ્વાસ રાખે છે. તેમણે મોબ લિંચિંગ સામે કડક કાયદો લાવવાની માંગ કરી. તમને જણાવી દઈએ કે તબરેજને ભીડે ત્યારે નિશાન બનાવી હતી જ્યારે તે જમશેદપુરથી પોતાના ગામ પાછો આવી રહ્યો હતો.

ભીડે ચોરીની શંકામાં તબરેજની કરી હતી પિટાઈ
તે વખતે તબરેજને ઘાતકીડીહ ગામ પાસે ભીડે ચોરીની શંકામાં પકડી લીધો. ચોરીનો આરોપ લગાવીને ભીડે તબરેજ અંસારીને થાંભલા સાથે બાંધી દીધો અને ખરાબ રીતે પીટવાનો શરૂ કરી દીધો. પોલિસને સોંપતા પહેલા તેને લગભગ 18 કલાક સુધી લાઠી-ડંડાથી પીટવામાં આવ્યો. આરોપ છે કે આ દરમિયાન તબરેજને ભીડે જય શ્રીરામ અને જય હનુમાનના નારા લગાવવા માટે કહ્યુ અને આમ ન કરવા પર તેની જોરદાર પિટાઈ કરી. બાદમાં અંસારીની ચોરીના આરોપમાં પોલિસે ધરપકડ કરી લીધી હતી. વળી, ઘટનાના ચાર દિવસ બાદ પરવેઝ અંસારીની હોસ્પિટલમાં મોત થઈ ગયુ હતુ. આ કેસમાં બે પોલિસવાળાને સસ્પેન્ડ કરી દીધા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
