બુધવારે બેંગ્લોરમાં મલ્લિકાર્જુન ખડગે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે-સુત્રો
કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને પેચ ફસાયો છે. કોંગ્રેસ હાઈ કમાન્ટની બેઠકો પર બેઠકો ચાલી રહી છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારો અનુસાર, બુધવારે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.
સૂત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે બેંગ્લોરમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરશે. મલ્લિકાર્જુન ખડગે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સલાહ લઈ રહ્યા છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેશે.

કર્ણાટકમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારમાંથી પસંદગી માટે હાઈ કમાન્ટને ટાઈમ લાગી રહ્યો છે. બીજી તરફ કર્ણાટકના આગામી સીએમ કોણ હશે તેની અંગે કોંગ્રેસ પાર્ટી સાથે સાથે પાર્ટીના કાર્યકરો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
એક તરફ મંથન ચાલી રહ્યુ છે તો બીજી તરફ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સિવાય જી પરમેશ્વરના સમર્થકો તેમને સીએમ બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. કર્ણાટકમાં જી પરમેશ્વરને સીએમ પદ માટે નોમિનેટ કરવાની માંગ સાથે ધરણા યોજાઈ રહ્યા છે.
આ અઠવાડિયે સોમવાર સુધીમાં કર્ણાટકના સીએમની જાહેરાત થવાની ધારણા હતી. કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોએ નિર્ણય રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર છોડી દીધો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
