મમતાનો પડકાર, હિંમત હોય તો મને મારીને બતાવે નક્સલી
નક્સલીઓને પડકાર ફેંકતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે બંદૂકોથી ડરતી નથી. જો બંદૂકધારીઓમાં એટલી હિંમત હોય તો મને નિશાન બનાવી બતાવે. અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પહેલાંથી કહ્યું હતું કે માઓવાદીએ તેમની હત્યાનું કાવતરું રચ્યું છે. એક પંચાયત ચુંટણીની સભાને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે જ્યારે મે જગલમહલ આવવાની યોજના બનાવી તો મને કહેવામાં આવ્યું હતું કે માઓવાદીઓને તેમને મારવાની યોજના બનાવી છે.
મમતા બેનર્જીએ તેમને ચુંટણી મંચ પરથી લલકારતાં કહ્યું હતું કે જો નક્સલીઓ મને મારવાની યોજના બનાવી રહ્યાં છે તો હું માઓવાદીઓને પડકાર ફેકુ છું કે તેમનામાં સાહસ હોય તો મને મારીને બતાવે. નિડર મમતા બેનર્જીએ કહ્યું હતું કે નક્સલી મને એ જણાવે કે તે મને ક્યારે અને ક્યાં મારવા માંગે છે, હું ત્યાં પહોંચી જઇશ. મમતા બેનર્જી કહ્યું હતું કે જો માઓવાદી સામાન્ય જીવનમાં પરત ફરવા માંગે છે તો સરકાર તેમની મદદ કરશે.