મેનકા ગાંધીએ ISKCON પર નિવેદન આપવુ પડ્યુ ભારે, સંસ્થાએ મોકલી 100 કરોડની માનહાનીની નોટીસ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહી છે કે ભારતમાં હાલમાં સૌથી મોટી છેતરપિંડી કરનાર ઈસ્કોન છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) તેના ગૌશાળામાંથી ગાયોને કસાઈઓને વેચે છે.
મેનકા ગાંધીના આ દાવા પર હોબાળો મચી ગયો છે. ઈસ્કોન પ્રશાસને આ આરોપો પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે ઈસ્કોને મેનકા ગાંધી વિરુદ્ધ માનહાનિની નોટિસ મોકલી છે.

બીજેપી સાંસદ મેનકા ગાંધીની ટિપ્પણી પર ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે, મેનકા ગાંધીની ટિપ્પણી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી. સમગ્ર વિશ્વમાં આપણા ભક્તોને ખૂબ જ દુઃખ થયું છે. અમે તેમની સામે 100 કરોડની બદનક્ષી બદલ કાનૂની કાર્યવાહી કરવાના છીએ.
રાધારમણ દાસે કહ્યું કે, અમે તેમને આજે નોટિસ મોકલી છે. એક સમયે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સાંસદ આટલા મોટા સમાજ સામે કોઈ પુરાવા વગર કેવી રીતે જુઠ્ઠું બોલી શકે? અગાઉ, ઇસ્કોને મેનકા ગાંધીના આરોપોને નકારી કાઢતા સ્પષ્ટતામાં એક પત્ર પણ જારી કર્યો હતો.
ઇસ્કોને જણાવ્યું હતું કે ઇસ્કોન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પશુઓના સંરક્ષણ અને સંભાળમાં મોખરે છે. અમારી ગાયો અને બળદની આખી જીંદગી સંભાળ રાખવામાં આવે છે અને કસાઈઓને વેચવામાં આવતા નથી.
ઇસ્કોનના પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે કહ્યું, મેનકા ગાંધી આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ગૌશાળા વિશે કહી રહ્યા છે, એવી 250 થી વધુ ગાયો છે જે દૂધ નથી આપતી. ત્યાં પણ સેંકડો વાછરડા છે. મેનકાના આરોપો ખોટા અને પાયાવિહોણા છે.
ઇસ્કોને જણાવ્યું હતું કે, છેલ્લા પચાસ વર્ષોમાં, ઇસ્કોન વિશ્વભરમાં ગાય સંરક્ષણ અને શાકાહારમાં અગ્રેસર છે અને ઘણા દેશોમાં ગાયના આશ્રયસ્થાનોનું નિર્માણ અને જાળવણી કરી રહી છે. ઇસ્કોન ભારતમાં 60 થી વધુ ગૌશાળાઓનું સંચાલન કરે છે, જ્યાં તમામ ગાયો, બળદ અને વાછરડાઓને પ્રેમ અને સંભાળ સાથે રાખવામાં આવે છે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
