મણિપુરમાં મોડી રાતે બે જૂથો વચ્ચે ગોળીબાર, 4 ઘાયલ

Manipur Violence: મણિપુરમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. અહીં ફરી હિંસાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકો ઘાયલ થયા છે. ગુરુવારે બંને જૂથોમાં ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મણિપુરના ચર્ચંદપુર અને બિષ્ણુપુર જિલ્લામાં સામે આવી છે.

મણિપુર પોલીસે હજુ સુધી ઘાયલોની વિગતો શેર કરી નથી. ગુરુવારે મોડી રાત સુધી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. પોલીસનું કહેવું છે કે બદમાશો અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ કરી રહ્યા છે.

manipur

ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દાવો કર્યો છે કે ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આખો દિવસ હુમલો ચાલુ રહ્યો, આ દરમિયાન હુમલામાં બૉમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

આઈટીએલએફનો દાવો છે કે આખો દિવસ હુમલો ચાલ્યો હતો અને મોડી રાત સુધી ગોળીબારની જાણ થઈ હતી. આ હુમલામાં બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાર ઘાયલોને ઈમ્ફાલની રાજ મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગોળીબારની ઘટના ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે શરૂ થઈ હતી. સશસ્ત્ર બદમાશો કંગવાઈ, ક્વાક્તા ફુગાકચો ઈખાઈ અને તેરાખોંગબી ગામોમાં ઘૂસી ગયા હતા. અહીં એક સગીર ઘાયલ થયા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ, બુધવારે બદમાશોએ મોર્ટાર શેલથી હુમલો કર્યો.

પોલીસ અધિકારીએ કહ્યું કે સ્થળ પર સુરક્ષા દળો તૈનાત છે, ગ્રામજનોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જેથી આ લોકો ક્રોસ ફાયરિંગમાં ફસાઈ ન જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X