મણીપુરના ભાજપ ધારાસભ્યો પીએમ મોદીને મળવા પહોચ્યા દિલ્હી, પડોસી રાજ્યના મુખ્યમંત્રીએ કરી આ અપીલ
મણીપુરના મુખ્યમંત્રીએન બીરેન સિહે મિરજોરમના મુખ્યમંત્રી જોરમથંગાને અપીલ કરી કે, રાજ્યમાં મૈતેઇ સમુદાઇના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે. મિજોરમમા મોટી સંખ્યામાં મેતેઇ અને કુકી સમુદાયના લોકો રહે છે.

અંહિયા અંદાજે 10 હજાર કુકી સમુદાયના લોકો મણીપુર હિસાના લીધે વિસ્થાપિત થઇ ચૂક્યા છે. દર્જન જેટલા ભાજપના ધારાસભ્યો જે મૈતેઇ સમુદાયમાથી આવે છે તે દિલ્હી પહોચ્યા છે. જ્યાં તે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે.
આ ધારાસભ્યોની પીએમ મોદીની સાથે મુલાકાત પહેલા મણીપુરના મુખ્યમંત્રીએ મિરજોરમના મુખ્યમંત્રી સાથે મેતેઇ સમુદાયના લોકોની સૂરક્ષાની અપીલ કરી છે. રિપોર્ટ અનુસાર મણીપુરના મુખ્યમંત્રી પણ આગામી સપ્તાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દિલ્હી પહોચી શકે છે.
રવિવારે મોટી સંખ્યામાં ઇંફાલમાં લોકોએ પીએમ મોદીની રેડિયો પર કાર્યક્રમ મન કી બાદનો વિરોધ કર્યો હતો. અને મણીપુર હિંસા પર પીએમ મોદીની ચપ્પી પર સવાલ ઉભા કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રેડિયો ટ્રાંઝિસ્ટર તોડી અને મન કી બાત કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ કે, મન કી બાત નહી પણ મણીપુરની વાત કરો.
મિરજોરમના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, મે મણીપુરના મુખ્યમંત્રી સાથે બપોરે 12:30 વાગે વાત કરી હતી. આ વાતચીત મણીપુર હિંસાને લઇને છે. મુખ્યમંત્રીએ આ મુદ્દાના હલ માટે મદદ મગી છે.












Click it and Unblock the Notifications
