Manipur violence: 500 પોલીસ કમાન્ડોના યુનિફૉર્મ સિવડાવવાનો કૉન્ટ્રાક્ટ અપાયો, હિંસા ભડકાવવા માટે બદમાશોની ચાલ
Manipur violence: ભારતની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ મણિપુર પોલીસને ચેતવણી આપી છે કે બદમાશો પોલીસ કમાન્ડોના યુનિફોર્મની વ્યવસ્થા કરી રહ્યા છે. આમ કરીને તેઓ રાજ્યમાં સંકલિત હુમલા દ્વારા હિંસા ભડકાવવાનો પ્રયાસ કરશે.
મણિપુરમાં વંશીય સંઘર્ષને કારણે છેલ્લા મહિનાથી હિંસા જોવા મળી રહી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ આ માહિતી આપતા રાજ્યના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરી દીધા છે.

ટોચના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિશ્વસનીય રીતે જાણવા મળ્યું હતું કે બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં એક દરજીને 15 જૂન સુધીમાં 500 મણિપુર પોલીસ કમાન્ડોના ગણવેશ સિલાઇ કરવાનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીઓએ જણાવ્યું હતું કે 17 અને 18 જૂને મણિપુરના ઓછામાં ઓછા ત્રણ જિલ્લાઓ ચુરાચંદપુર, ઇમ્ફાલ ઇસ્ટ અને ઇમ્ફાલ પશ્ચિમના જુદા જુદા વિસ્તારોમાં બદમાશો કમાન્ડો તરીકે ત્રાટકે તેવી શક્યતા છે.
સુરક્ષા કર્મચારીઓના રૂપમાં દેખાતા બદમાશો દ્વારા આવો જ એક હુમલો ગયા અઠવાડિયે કરવામાં આવ્યો હતો (9 જૂન) જ્યારે ઓલિવ ગ્રીન પોશાક પહેરેલા માણસો કાંગપોકપી જિલ્લાના ખોકેન ગામમાં પ્રવેશ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ રહીશોના મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ, ભારતીય સેનાએ ગયા શનિવારે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે "સુરક્ષા કર્મચારીઓના વેશમાં બદમાશો હિંસા ફેલાવવા માટે ગામડાઓમાં પ્રવેશ્યા હતા".
ગુપ્તચર માહિતીથી વાકેફ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, "આ બદમાશોનુ હુમલો કરવા માટે પોલીસ અથવા સુરક્ષા દળો તરીકે આવવું એ ચિંતાનો વિષય છે, પરંતુ મણિપુર જેવા સ્થળે, જ્યાં છેલ્લા કેટલાક દાયકાઓથી સેના અને સુરક્ષા દળો લગભગ હાજર છે. ગ્રામજનો અસલી અને નકલી યુનિફોર્મ વચ્ચેનો તફાવત પારખી શકશે.''
"ખોકેન ગામમાં ગયા અઠવાડિયાના કેસમાં પણ, ગ્રામજનોને આભાસ થઈ ગયો હતો કે સુરક્ષા કર્મીઓ તરીકે આવેલા લોકો હથિયારધારી બદમાશો હતા. પરંતુ તેઓ પ્રતિક્રિયા આપે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.












Click it and Unblock the Notifications
