મનીષ સિસોદિયા પર કઈ કલમો હેઠળ કેસ નોંધાયો? કેટલી સજા થઈ શકે?
મનીષ સિસોદિયા પર IPCની કલમ 120 B એટલે કે ગુનાહિત ષડયંત્રનો પણ આરોપ લગાવાયો છે. આ કલમ હેઠળ 6 મહિનાની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ચેડા કરવા બદલ IPCની કલમ 477 A લગાવાઈ છે.
નવી દિલ્હી : આબકારી કેસમાં મનીષ સિસોદિયાની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. આજે સીબીઆઈએ પુછપરછ માટે બોલાવ્યા બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.

સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર અનુસાર, મનીષ સિસોદિયા વિરુદ્ધ લાંચ અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મનીષ સિસોદિયા સામે જાહેર સેવકો પાસેથી લાંચ લેવા, ગુનાહિત કાવતરું રચવા અને લેખોને ખોટા કરવાનો કેસ નોંધ્યો છે. મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 લગાવવામાં આવી છે. આ કલમ હેઠલ તે દોષી સાબિત થાય તો ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
આ સિવાય મનીષ સિસોદિયા પર IPCની કલમ 120 B એટલે કે ગુનાહિત ષડયંત્રનો પણ આરોપ લગાવાયો છે. આ કલમ હેઠળ 6 મહિનાની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ચેડા કરવા બદલ IPCની કલમ 477 A લગાવાઈ છે. આ કલમ હેઠળ 7 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
બીજી તરફ પૂછપરછ મુદ્દે મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, આજે હું ફરી સીબીઆઈ જઈ રહ્યો છું, હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ મારી સાથે છે. મને કોઈ પરવા નથી કે થોડા મહિના જેલમાં રહેવું પડે. ભગતસિંહ દેશ માટે ફાંસીએ ચડ્યા હતા.
બીજી તરફ આ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભગવાન મનીષ તમારી સાથે છે. લાખો બાળકો અને તેમના માતા-પિતાની પ્રાર્થના તમારી સાથે છે. જ્યારે તમે દેશ અને સમાજ માટે જેલમાં જાઓ છો તો પછી જેલમાં જવું ખરાબ નથી. આ એક આશીર્વાદ છે. તમે જેલમાંથી જલ્દી પાછા ફરો એવી શુભેચ્છા. દિલ્હીના બાળકો, માતા-પિતા અને અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
