મનીષ સિસોદિયા વધુ 5 દિવસના રિમાન્ડ પર, આમ આદમી પાર્ટીના તીખા પ્રહાર
ED દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે ત્યારે હવે મનીષ સિસોદિયાને વધુ 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.

નવી દિલ્હી : મનીષ સિસોદિયાની ધરપકડ બાદથી દિલ્હીની રાજનીતિ ગરમ થઈ ગઈ છે. ED દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે ત્યારે હવે મનીષ સિસોદિયાને વધુ 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. કોર્ટના આદેશ બાદ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. એ પણ દાવો કર્યો કે ED અને CBI પાસે કોઈ પુરાવા નથી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, બીજેપીનો ઉદ્દેશ્ય AAPને ખતમ કરવાનો છે. આ કવાયતથી ખોટા કેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી આપ નેતાઓને જેલમાં ધકેલી શકાય. CBI-ED પાસે મનીષ સિસોદિયા વિરુદ્ધ કાલ્પનિક વાર્તાઓ સિવાય કોઈ પુરાવા નથી. ન તો તેમની પાસેથી કોઈ રિકવરી થઈ છે. કોર્ટે સિસોદિયાને દોષિત ઠેરવ્યા નથી પરંતુ સીબીઆઈ-ઈડી તપાસના બહાને તેમને જેલમાં રાખ્યા છે. ઈન્દિરા ગાંધી વિચારતા હતા કે તેઓ સત્તામાંથી નહીં જાય, આજે સત્તાધારી પક્ષને પણ ગેરસમજ છે. આવતીકાલે કોઈ પણ વિરોધ પક્ષના હાથમાં CBI-ED આવશે તો શું થશે?
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, CBIની પૂછપરછ બાદ કોર્ટ સિસોદિયાને જામીન આપવા જઈ રહી હતી પરંતુ EDએ તેમની ધરપકડ કરી લીધી. તેણે કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો પરંતુ માત્ર 7 દિવસનો સમય મળ્યો. 7 દિવસમાં માત્ર 15 કલાકની જ પૂછપરછ થઈ હતી. આ દરમિયાન માત્ર 3 લોકોને રૂબરૂ કરવામાં આવ્યા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મનીષ સિસોદિયાને જેલમાં રાખવાનો છે. આજે ફરી એ જ 3 નો સામનો કરવા EDએ રિમાન્ડની માંગણી કરી છે. આ શું મજાક છે?
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, બીજેપીની મનોહર કહાનીઓની એવી સ્થિતિ છે કે EDએ 2014 થી 2022 સુધીના 8 વર્ષમાં 3555 કેસ નોંધ્યા છે. જેમાંથી કોર્ટે કુલ 23 લોકોને જ સજા સંભળાવી હતી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય નકલી કેસ દાખલ કરીને AAP નેતાને જેલમાં ધકેલી દેવાનો છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
