મનીષ સિસોદિયા વધુ 5 દિવસના રિમાન્ડ પર, આમ આદમી પાર્ટીના તીખા પ્રહાર
ED દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે ત્યારે હવે મનીષ સિસોદિયાને વધુ 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.

નવી દિલ્હી : મનીષ સિસોદિયાની ધરપકડ બાદથી દિલ્હીની રાજનીતિ ગરમ થઈ ગઈ છે. ED દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે ત્યારે હવે મનીષ સિસોદિયાને વધુ 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. કોર્ટના આદેશ બાદ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. એ પણ દાવો કર્યો કે ED અને CBI પાસે કોઈ પુરાવા નથી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, બીજેપીનો ઉદ્દેશ્ય AAPને ખતમ કરવાનો છે. આ કવાયતથી ખોટા કેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી આપ નેતાઓને જેલમાં ધકેલી શકાય. CBI-ED પાસે મનીષ સિસોદિયા વિરુદ્ધ કાલ્પનિક વાર્તાઓ સિવાય કોઈ પુરાવા નથી. ન તો તેમની પાસેથી કોઈ રિકવરી થઈ છે. કોર્ટે સિસોદિયાને દોષિત ઠેરવ્યા નથી પરંતુ સીબીઆઈ-ઈડી તપાસના બહાને તેમને જેલમાં રાખ્યા છે. ઈન્દિરા ગાંધી વિચારતા હતા કે તેઓ સત્તામાંથી નહીં જાય, આજે સત્તાધારી પક્ષને પણ ગેરસમજ છે. આવતીકાલે કોઈ પણ વિરોધ પક્ષના હાથમાં CBI-ED આવશે તો શું થશે?
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, CBIની પૂછપરછ બાદ કોર્ટ સિસોદિયાને જામીન આપવા જઈ રહી હતી પરંતુ EDએ તેમની ધરપકડ કરી લીધી. તેણે કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો પરંતુ માત્ર 7 દિવસનો સમય મળ્યો. 7 દિવસમાં માત્ર 15 કલાકની જ પૂછપરછ થઈ હતી. આ દરમિયાન માત્ર 3 લોકોને રૂબરૂ કરવામાં આવ્યા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મનીષ સિસોદિયાને જેલમાં રાખવાનો છે. આજે ફરી એ જ 3 નો સામનો કરવા EDએ રિમાન્ડની માંગણી કરી છે. આ શું મજાક છે?
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, બીજેપીની મનોહર કહાનીઓની એવી સ્થિતિ છે કે EDએ 2014 થી 2022 સુધીના 8 વર્ષમાં 3555 કેસ નોંધ્યા છે. જેમાંથી કોર્ટે કુલ 23 લોકોને જ સજા સંભળાવી હતી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય નકલી કેસ દાખલ કરીને AAP નેતાને જેલમાં ધકેલી દેવાનો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
