CBI મારો ફોન પણ છીનવીને લઈ ગઈ, 14 કલાકની રેડ બાદ બોલ્યા મનીષ સિસોદિયા
દરોડા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે 14 કલાકના દરોડા પછી સીબીઆઈની ટીમ તેમના ઘરેથી નીકળી ગઈ હતી. દરોડા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે સીબીઆઈની ટીમે મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લીધો છે. સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈ ઉપરથી નિયંત્રિત થઈ રહી છે અને તેના દ્વારા દિલ્લીમાં થઈ રહેલા સારા કામને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈની ટીમ આવી હતી અને તેમણે આખા ઘરની તપાસ કરી હતી. મારુ કોમ્પ્યુટર અને પર્સનલ મોબાઈલ જપ્ત કરીને લઈ ગયા છે. મેં અને મારા પરિવારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને વધુ તપાસ થશે તો સહકાર આપીશુ. અમે કંઈ ખોટુ કર્યુ નથી, અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. તેથી અમે ડરતા નથી. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ હજુ સુધી મનીષ સિસોદિયાની ધરપકડ કરી નથી. દરોડા પછી સિસોદિયાએ કહ્યુ કે અમે કટ્ટર ઈમાનદાર લોકો છીએ, અમે કંઈ ખોટુ કર્યુ નથી અને ઈમાનદારીથી કામ કરતા રહીશુ. અમે ઈમાનદારીથી કામ કરીને શાળાઓ બનાવી છે, લાખો બાળકોનુ ભવિષ્ય બનાવ્યુ છે, ઈમાનદારીથી કામ કરીને હોસ્પિટલો બનાવી છે, લાખો લોકોની સારવાર કરાવી છે.
તેમણે કહ્યું કે માતા-પિતા અને બાળકોની દુઆઓ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે તેટલો દુરુપયોગ કરી શકે છે પરંતુ તે અમને નુકસાન પહોંચાડી શકે નહિ કારણ કે અમે કંઈ ખોટુ કર્યુ નથી. લોકોને સારુ શિક્ષણ, સ્વાસ્થ્ય આપવાનુ કામ ચાલુ રહેશે, દિલ્લી સરકાર રોકાશે નહિ. દિલ્લીના ડેપ્યુટી સીએમે કહ્યુ કે સીબીઆઈએ અત્યારે પૂછપરછ માટે બોલાવ્યા નથી, દરેકનુ વર્તન ખૂબ સારુ હતુ. અમુક ફાઈલો મારી હતી, મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા છે.
CBIએ મનીષ સિસોદિયાને FIRમાં પ્રથમ આરોપી બનાવ્યા છે. CBIની આ FIRમાં 15 આરોપી છે. આ એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિનો મામલો છે. આ કેસ 17 ઓગસ્ટે નોંધવામાં આવ્યો છે. CBIએ શુક્રવારે દિલ્લીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. જેનો આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ સિસોદિયાના દિલ્લીના નિવાસસ્થાન અને 7 રાજ્યોમાં 20 અન્ય સ્થળોએ સર્ચ હાથ ધર્યુ હતુ. ભ્રષ્ટાચારનો કેસ નોંધવાની અનિવાર્ય મંજૂરી લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા આપવામાં આવી હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
