જેલમાંથી બહાર આવતા જ મનીષ સિસોદિયાનો હુંકાર, કહ્યું-સંવિધાને મને બચાવ્યો
નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિપક્ષી નેતાઓને જેલમાં રાખવાની નીતિનો ભોગ બનેલા મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવી ગયા છે. મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવતા જ હુંકાર ભરી છે.
સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા શુક્રવારે 09 ઓગસ્ટે તિહાર જેલમાંથી બહાર આવ્યા.

મનીષ સિસોદિયા બહાર આવતા મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જેલની બહાર પહોંચ્યા હતા. સિસોદિયા તિહાર જેલના ગેટમાંથી બહાર આવ્યા કે તરત જ પાર્ટી કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યુ.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમની સાથે સંજય સિંહ અને આતિશી પણ જોવા મળ્યા. જણાવી દઈએ કે મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં છેલ્લા 17 મહિનાથી જેલમાં હતા, આજે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે.
બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે, જ્યારથી સવારે આ આદેશ આવ્યો ત્યારથી મારા રોમ રોમ બાબા સાહેબના ઋણી અનુભવ કરી રહ્યાં છે. મને સમજાતું નથી કે આપણે બાબા સાહેબનું ઋણ કેવી રીતે ચૂકવીશું.
અહીં મનીષ સિસોદિયાએ તેમના સ્વાગત માટે તિહાર જેલની બહાર એકઠા થયેલા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી.
તેમણે કહ્યું કે, તમારા પ્રેમ, ભગવાનના આશીર્વાદ અને સત્યની શક્તિના કારણે હું જેલમાંથી બહાર આવ્યો છું અને સૌથી વધુ બાબાસાહેબનું સપનું છે કે જો કોઈ સરમુખત્યારશાહી સરકાર સત્તામાં આવે અને સરમુખત્યારશાહી કાયદો બનાવીને વિપક્ષી નેતાઓને જેલમાં નાંખે છે. આવુ થાય ત્યારે દેશનું બંધારણ તેમનું રક્ષણ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે બંધારણની એ જ શક્તિથી અરવિંદ કેજરીવાલ પણ જેલમાંથી બહાર આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
