2 લાખની લાંચ લેતા પકડાયો OSD, મનીષ સિસોદિયાએ આપ્યો આ જવાબ
દિલ્લીમાં ઓએસડીની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે યોજાનાર મતદાન પહેલા જ સીબીઆઈએ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોસિયાના ઓએસડીને લાંચ લેવાના આરોપમાં પકડી લીધા છે. દિલ્લી, અંદમાન નિકોબાર આઈલેન્ડ સિવિલ સર્વિસીઝ એટલે કે દાનિક્સના વરિષ્ઠ અધિકારી ગોપાલ કૃષ્ણ માધવને ગુરુવારે મોડી રાતે સીબીઆઈએ લાંચ લેતા રંગે હાથે પકડી લીધો. વળી, ઓએસડીની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

મનીષ સિસોદિયાએ કર્યુ ટ્વિટ
ઓએસડીની ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યુ, મને માલુમ પડ્યુ છે કે સીબીઆઈએ એક જીએસટી ઈન્સ્પેક્ટરને લાંચ લેતા પકડ્યા છે. આ અધિકારી મારી ઓફિસમાં ઓએસડી તરીકે તૈનાત હતા. સીબીઆઈએ તેને તરત જ કડકમાં કડક સજા અપાવવી જોઈએ. આવા ઘણા ભ્રષ્ટ અધિકારી મે ખુદ છેલ્લા 5 વર્ષમાં પકડાવ્યા છે.
|
બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયો ઓએસડી
આરોપ છે કે ગોપાલ કૃષ્ણ માધવે જીએસટીના એક કેસમા બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી ત્યારબાદ મોડી રાતે સીબીઆઈએ તેમની ધરપકડ કરી. સૂત્રોની માનીએ તો આ સમગ્ર મામલે મનીષ સિસોદિયાની કોઈ ભૂમિકા નથી. સીબીઆઈ કેસની તપાસ કરી રહી છે. જે રીતે દિલ્લીમાં મતદાનના બે દિવસ પહેલા આ ધરપકડ થઈ છે ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે દિલ્લીમાં નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ફરીથી શરૂ થઈ શકે છે. દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે કાલે મતદાન થવાનુ છે.

દિલ્લીમાં કાલે થવાનુ છે મતદાન
દિલ્લી ચૂંટણી માટે પ્રચાર ખતમ થઈ ગયો છે જ્યારે 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન બાદ 11 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે. દિલ્લીમાં કાલે થનાર મતદાન માટેની બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી ચૂકી છે. મતદાન માટે દિલ્લી પોલિસના 40 હજાર જવાનોને તૈનાત કરવાં આવ્યા છે. સાથે 190 કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સની પણ તૈનાતી કરવામાં આવી છે. 19 હજાર હોમગાર્ડને પણ પોલિસના જવાનો સાથે પોલિંગ બૂથ પર તૈનાત કરવામાં આવશે. દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ 2689 પોલિંગ બૂથમાંથી 545 પોલિંગ બૂથ સંવેદનશીલ છે. જ્યારે 21 કાઉન્ટિંગ સેન્ટર પર મલ્ટી લેયર સિક્યોરિટીનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
