મનમોહન સિંહના રાજીનામાની વાત મનઘડંતઃ મનીષ તિવારી
નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ પીએમઓ ઓફિસ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારમ મંત્રી મનીષ તિવારીએ એ વાતનું ખંડન કર્યુ છે, જેમાં એવું કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ શુક્રવારે પ્રેસ વાર્તા દરમિયાન રાજીનામુ આપશે. ટાઇમ્સ નાઉ ચેનલ સાથે વાત કરતા મનીષ તિવારીએ કહ્યુ છે કે આ સમાચાર આધારવહીન છે. આ મનઘડંત વાતો છે. હું તો આ બાબતે જવાબ આપવા પણ માગતો નથી. આ કેટલાક મીડિયા તંત્રના મગજની ઉપજ છે.

કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા મનમોહન સિંહનું આ પગલું રાહુલ ગાંધીને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સમાચાર પત્રએ લખ્યું છે કે, કોંગ્રેસના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કરારી હારના કારણે મનમોહન સિંહ આ પગલું ઉઠાવવા જઇ રહ્યાં છે, કારણ કે સરકારોએ પોતાની હાર માટે પીએમ મનમોહન સિંહને જવાબદાર ઠેરવ્યા છે. આ કારણે હારની જવાબદારી સ્વિકારીને મનમોહન સિંહ પોતાના પદથી રાજીનામુ આપશે.












Click it and Unblock the Notifications
